Health Tips: લીલા વટાણા નથી સામાન્ય શાકભાજી, તેના અમુલ્ય સ્વાસ્થ્ય લાભ જાણીને અચંબિત થઇ જશો

|

Nov 05, 2021 | 9:49 AM

લીલા વટાણાનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થાય છે. તેઓ પોષક તત્વોનું પાવરહાઉસ છે. તેમાં ફાઇબર અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો રહેલા છે. ચાલો જાણીએ કે તે સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.

Health Tips: લીલા વટાણા નથી સામાન્ય શાકભાજી, તેના અમુલ્ય સ્વાસ્થ્ય લાભ જાણીને અચંબિત થઇ જશો
Know the Health benefits of green peas

Follow us on

લીલા વટાણા કોના ઘરે નહીં હોય. આપણા સૌના ઘરે આ વટાણા જોવા મળતા હોય છે. બેમાંથી એક સમયના ભોજનમાં પણ કદાચ વટાણાનો ઉપયોગ થાય છે. મોટાભાગે વટાણાનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થાય છે. રસોઈના સ્વાદ માટે વટાણાને વિવિધ શાકભાજી સાથે બનાવવામાં આવે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે વટાણા સ્વાસ્થ્ય માટે કેટલા સારા છે. ખરેખરમાં વટાણાને પોષક તત્વોનું પાવરહાઉસ કહેવામાં આવે છે. તેમાં ફાઇબર અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો રહેલા છે. ચાલો આજે તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય માટે કેવી રીતે વટાણા ફાયદાકારક છે.

પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ

લીલા વટાણા પૌષ્ટિક આહાર છે. લીલા વટાણા પ્રોટીન, વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. તેમેજ એન્ટીઓકિસડન્ટોથી પણ સમૃદ્ધ છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે

વટાણા ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવાથી બ્લડ સુગર લેવલ ઘટાડવામાં ઘણી મદદ મળે છે. તે ટાઈપ 2 ડાયાબિટીસથી પીડાતા દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

પાચનમાં મદદ કરે છે

લીલા વટાણામાં મોટી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ફાઇબર તમારા આંતરડામાં સારા બેક્ટેરિયાને જીવંત રાખે છે અને બિનઆરોગ્યપ્રદ બેક્ટેરિયાને એકઠા થતા અટકાવે છે. વટાણા કોલોન કેન્સરનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે.

ક્રોનિક રોગોને દૂર કરવામાં મદદ કરે છે

લીલા વટાણા મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમથી સમૃદ્ધ છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે. લીલા વટાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ, કેરોટીનોઈડ્સ અને વિટામિન સી પણ હોય છે, જે હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.

જાણે અજાણે અલગ અલગ શાકભાજીમાં ખવાતા વટાણાના પણ અદ્ભુત સ્વાસ્થ્ય લાભ છે. અલગ અલગ શાકભાજીમાં વપરાતા વટાણાનું પણ અલગ શાક બની શકે છે. તે પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે.

 

આ પણ વાંચો: Health Tips: ઘીના આ ઘરેલું ઉપાય તમને પણ નહીં ખબર હોય, અનેક રોગમાં નીવળી શકે છે ફાયદાકારક

આ પણ વાંચો: Health: ઉઘાડા પગે 420 કિમી દોડનાર મિલિંદ સોમન દોડતા પહેલા શું ખાય છે ? શું છે તેમના ફિટનેસનું સિક્રેટ ?

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article