Kidney Health: કિડનીની ગંદકી દૂર કરવા અને કિડનીને સ્વસ્થ રાખવા આ આસાન ઉપાય અજમાવી જુઓ

|

Mar 04, 2022 | 7:30 AM

કિડનીને સારી રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઈએ, આ સિવાય એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જેમાં પાણીની માત્રા વધુ હોય. આયુર્વેદ અનુસાર અહીં હું તમને આવા બે શ્રેષ્ઠ ઉપાયો વિશે જણાવી રહ્યો છીએ, જે કિડનીની ગંદકીને સાફ કરશે અને તેને સ્વસ્થ રાખશે.

Kidney Health: કિડનીની ગંદકી દૂર કરવા અને કિડનીને સ્વસ્થ રાખવા આ આસાન ઉપાય અજમાવી જુઓ
Tips for healthy kidney (Symbolic Image )

Follow us on

આપણા શરીરમાં રહેલ કિડની (Kidney) એ એવા બે નાના અવયવો છે જે આપણી કરોડરજ્જુની બંને બાજુ પાંસળીની નીચે સ્થિત છે. તે આપણા શરીરના (Body) મુખ્ય અંગોમાંથી એક છે, જેના પર આપણા શરીરની મોટાભાગની પ્રવૃત્તિઓ આધાર રાખે છે. આપણી કિડની હોર્મોન્સ બનાવવા અને ઈલેક્ટ્રોલાઈટ્સને સંતુલિત કરવામાં તેમજ શરીરમાંથી કચરો બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કિડનીને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદમાં ઘણા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. કેટલાક આસાન ઉપાયો છે, જેની મદદથી તમે તમારી કિડનીને ડિટોક્સ કરી શકો છો, આનાથી તમારી કિડની માત્ર સારી રીતે કામ કરશે નહીં, પરંતુ ભવિષ્યમાં બીમારીઓ થવાની શક્યતા પણ ઓછી થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નિષ્ણાંતોના મતે કિડનીને સારી રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઈએ, આ સિવાય એવા ખોરાકનું સેવન કરવું જોઈએ, જેમાં પાણીની માત્રા વધુ હોય. આયુર્વેદ અનુસાર અહીં હું તમને આવા બે શ્રેષ્ઠ ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જે કિડનીની ગંદકીને સાફ કરશે અને તેને સ્વસ્થ રાખશે.

1. આદુ અને ધાણાના બીજ ગરમ પાણી સાથે

કિડનીની સફાઈ માટે ગરમ પાણી એક સારો વિકલ્પ છે. તમે 1 લીટર પાણીમાં 5 ગ્રામ આદુ અને 5 ગ્રામ સુધી ધાણાના બીજને એકસાથે ઉકાળી શકો છો. આ સામગ્રીને 1 લીટર પાણી રાંધીને 10 ગ્રામ થાય ત્યાં સુધી ઉકાળવું પડશે. તેને ગરમ થવા દો અને પછી તેનું સેવન કરો.

2. નારિયેળ પાણી અને એલચી

નાળિયેર પાણી અને એલચી પણ કિડની સાફ કરવામાં સમાન કામ કરે છે. લીલા નારિયેળના પાણીમાં એલચી પાવડર ભેળવી પીવાથી કિડની ડિટોક્સમાં ફાયદો થાય છે. તમે 12ml નારિયેળ પાણીમાં 2 ગ્રામ ઈલાયચી પાવડર ઉમેરીને સેવન કરી શકો છો.

જો તમે કિડની સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો તો આ ઉપાયોનો ઉપયોગ કરતા પહેલા તમે તમારા ડૉક્ટર અથવા કોઈપણ આયુર્વેદચાર્યની સલાહ લઈ શકો છો. કારણ કે આ ટિપ્સ ફક્ત તે લોકો માટે છે જેમની કિડની સ્વસ્થ છે, તેમને કોઈ સમસ્યા નથી.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)

આ પણ વાંચો :Pregnancy Care : ગર્ભવતી મહિલાઓએ ડાયેટમાં જરૂર ઉમેરવા જેવું આ એક શાક, જાણો તેના ફાયદા

આ પણ વાંચો : કાનના દુખાવાને અવગણવાની ભૂલ કરશો નહિ, આ ઇન્ફેક્શન પણ હોય શકે છે

Published On - 6:39 am, Fri, 4 March 22

Next Article