તમે ભોજનમાં બનાવટી જીરુંનો ઉપયોગ તો નથી કરી રહ્યા ને? આ રહી ચકાસવાની પધ્ધતિ

|

Mar 04, 2021 | 6:26 PM

આજકાલ બજારમાં નકલી જીરું મળતું થઇ ગયું છે. આ જીરું સ્વસ્થ માટે પણ હાનીકારક હોય છે. આવી સ્થિતિમાં જાણો કે નકલી જીરુંની ઓળખ કઈ રીતે કરશો.

તમે ભોજનમાં બનાવટી જીરુંનો ઉપયોગ તો નથી કરી રહ્યા ને? આ રહી ચકાસવાની પધ્ધતિ
નકલી જીરું સ્વસ્થ માટે છે હાનીકારક

Follow us on

જીરું ઘરના રસોડામાં એક ખાસ મસાલામાનું એક છે. તે માત્ર ખાદ્યપદાર્થોનો સ્વાદ જ નહીં, પણ એન્ટી-ઓક્સિડેન્ટ, ફાઇબર, આયર્ન, કોપર, પોટેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, જસત, મેગ્નેશિયમ અને તમામ વિટામિન્સથી ભરપુર છે. આવી સ્થિતિમાં તે આરોગ્ય સંબંધિત તમામ સમસ્યાઓમાં જીરું રાહત આપે છે.

પરંતુ આજકાલ બજારમાં નકલી જીરું પણ વેચાઇ રહ્યું છે. તે ખૂબ દેખાવી બિલકુલ ઓરીજીનલ લાગે છે. આવી સ્થિતિમાં લોકો ઘણીવાર તેમાં ફરક કરી શકતા નથી અને તેની ખરીદી કરી લે છે. માનવામાં આવે છે કે નકલી જીરું નદીઓના કાંઠે ઉગાડતા જંગલી ઘાસમાંથી બનાવવામાં આવે છે, જ્યાંથી ફૂલ ઝાડુ બનાવવામાં આવે છે. આ જીરુંથી શરીરને અનેક પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે.

આ રીતે બને છે નકલી જીરું

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જીરું બનાવવા માટે ગોળની રાબનો ઉપયોગ કરવામાં આવે છે. જે ઘાસનો ઉપયોગ ફૂલની સાવરણી બનાવવા માટે થાય છે તેને પહેલા પાણીમાં બાફવામાં આવે છે અને ત્યાર બાદ તેને ગોળના રાબમાં રાંધવામાં આવે છે. ત્યારબાદ તેને સૂકવવામાં આવે છે. ઘાસનો રંગ જીરા જેવો થતાંની સાથે જ તેને પથ્થરના પાવડરમાં નાખવામાં આવે છે. આ બાદ તેને ફિલ્ટર કરવામાં આવે છે. ઘણી વાર તેમાં સ્લરી પાવડર પણ ઉમેરવામાં આવે છે જેથી તેનો રંગ બરાબર જીરું જેવો દેખાય.

થઇ શકે છે આ સમસ્યા

બનાવટી જીરું ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. આને કારણે પેટમાં દુ:ખાવો અને પથ્થરી જેવી સમસ્યાઓ આવી શકે છે. તેના વપરાશને કારણે ત્વચા સંબંધિત રોગોનું જોખમ પણ થાય છે અને બનાવટી જીરું રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે.

કેવી રીતે ઓળખવું

તેને ઓળખવું ખાસ મુશ્કેલ નથી. આ માટે એક વાસણમાં પાણી લો અને તેમાં જીરું નાખીને છોડી દો. જો જીરું રંગ છોડે કે તૂટી જાય તો સમજી લો કે તે બનાવટી છે. તેમજ નકલી જીરુંમાં કોઈ સુગંધ નથી હોતી.

Next Article