Health : શું તમને મોડેથી જમવાની આદત છે, તો વાંચો આયુર્વેદ શું કહે છે રાત્રે મોડેથી જમવા વિશે

|

Oct 07, 2021 | 12:18 PM

તમારે રાત્રે આઠ વાગ્યા પછી ખાવાનું ટાળવું જોઈએ. જો તમે આઠ વાગ્યા પછી ખાવ છો, તો તમારે હળવો ખોરાક લેવો જોઈએ

Health : શું તમને મોડેથી જમવાની આદત છે, તો વાંચો આયુર્વેદ શું કહે છે રાત્રે મોડેથી જમવા વિશે
Health: What does Ayurveda say about eating late at night?

Follow us on

મોડી રાત્રે ખાવા(late night eating ) વિશે આયુર્વેદ(ayurveda ) શું કહે છે, તમારે પણ જાણવું જોઈએ. ઘણીવાર લોકો કોઈક કારણોસર રાતનું જમવાનું મોડેથી લે છે. પરંતુ તેના વિષે આયુર્વેદ શું માને છે તેના વિષે આજે અમે તમને જણાવીશું. 

ઘણા લોકો મોડી રાત સુધી ટીવી જુએ છે અને સાઈડ ફૂડ સાથે ખાતા રહે છે, પરંતુ કદાચ તમને ખબર નથી કે આયુર્વેદ મુજબ આ આદત તમારા માટે ઘણી સમસ્યાઓ પણ ઉભી કરી શકે છે. આ લેખમાં આયુર્વેદ ડોક્ટર વરલક્ષ્મી યાનમન્દ્રા મોડી રાત્રે ખાવા વિશે કેટલીક મહત્વની માહિતી આપવા જઈ રહ્યા છે, તો ચાલો જાણીએ.

એસિડિટી એક સમસ્યા બની શકે છે
કદાચ તમે એ પણ જાણતા હશો કે મોડી રાત્રે ખાવાથી કોઈપણ સમયે એસિડિટીની સમસ્યા થઈ શકે છે. જો તમે નથી જાણતા તો તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે ડોક્ટર વરલક્ષ્મીના જણાવ્યા અનુસાર મોડી રાત્રે ખાવાથી એસિડિટી તેમજ હાર્ટબર્ન પણ થઈ શકે છે. ક્યારેક પેટને લગતી અન્ય સમસ્યાઓ થવાનો પણ ભય રહે છે. તેથી, આયુર્વેદ અનુસાર, સાંજે 7 વાગ્યા પહેલા ભોજન કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ઊંઘની સમસ્યાઓ
મોડી રાત્રે ખાવાની આદત પણ ઊંઘની સમસ્યાનું કારણ બની શકે છે. તેમના કહેવા મુજબ, ઘણા લોકો એવા છે જે મોડી રાત્રે વધારે પડતો ખોરાક લે છે, જેના કારણે તેમને ઉંઘવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, ડો.લક્ષ્મીના જણાવ્યા મુજબ, જો તમે મોડી રાતનું ભોજન ખાતા હોવ તો પણ તમારે થોડું હળવું ખોરાક લેવું જોઈએ અને ખાસ કરીને તળેલું ખાવાનું ટાળવું જોઈએ.

પાચન તંત્ર પર ખરાબ અસર પડી શકે છે
કદાચ તમે નહીં પરંતુ, એવી ઘણી સ્ત્રીઓ છે જે ભારે ખોરાક ખાય છે અને બાદમાં પરેશાન થવા લાગે છે. તેથી તમારે આ ભૂલ કરવાનું ટાળવું જોઈએ. ડોકટરના મતે, ભારે ખોરાક ખાવાની સાથે, વ્યક્તિએ ઘણી વાર ખાવાનું પણ ટાળવું જોઈએ. જો તમને ઝડપથી ખાવાની ટેવ હોય તો પાચનતંત્ર પર ખરાબ અસર પડી શકે છે. તમારે રાત્રે આઠ વાગ્યા પછી ખાવાનું ટાળવું જોઈએ. જો તમે આઠ વાગ્યા પછી ખાવ છો, તો તમારે હળવો ખોરાક લેવો જોઈએ. આ સિવાય, તમે રાત્રે મગની દાળ સાથે ભોજનમાં ચોખાનો સમાવેશ કરી શકો છો.

આ પણ વાંચો: ના કરતા આ ભૂલ: તળેલા તેલનો ફરી ઉપયોગ કરવામાં થઈ શકે છે આવી બીમારીઓ, જાણો ફરી યુઝ કરવાની યોગ્ય રીત

આ પણ વાંચો: Health Tips : શું તમે જાણો છો ખાલી પેટ લસણ ખાવાના ફાયદા? જાણીને તમે પણ શરુ કરી દેશો

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article