TV9 GUJARATI | Edited By: Bhavyata Gadkari
Sep 07, 2021 | 9:01 AM
દાડમ ખાવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થાય છે. દાડમ ખાવાથી શરીરમાં લોહીની કમીને ઝડપથી દૂર કરી શકાય છે અને શરીરમાં નેચરલ લોહીને વધારી શકાય છે.
દાડમના પાન પીસીને દાઝ્યા પર લગાવવાથી બળતરા ઝડપથી ઓછા થઈ જાય છે અને દર્દમાં પણ આરામ મળે છે.
હૃદય માટે પણ દાડમ ખૂબ જ ફાયદાકારી છે. રોજ દાડમ ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે.
દાડમમાં આયર્ન, પોટેશિયમ, ઝિંક, વિટામિન એ, સી, ઈ અને ફોલિક એસિડની સાથે ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે.
જો તમને પણ મોઢામાં ચાંદા પડવાની તકલીફ છે તો 10 ગ્રામ દાડમના પાન લઈ તેને અડધો લીટર પાણીમાં ઉકાળો. પાણી અડધું રહે એટલે ઠંડુ થયા બાદ તેનાથી કોગળા કરવા. આમ કરવાથી મોંના ચાંદાઓમાં તરત રાહત મળે છે.
દાડમની તાજી, કોમળ કળીઓ પીસીને પાણીમાં મિક્સ કરીને ગાળીને પિવાથી ગર્ભધારણની ક્ષમતા વધે છે.