દરરોજ રસોઈમાં સુગંધ માટે ભેળવતા હશો કોથમીર, પરંતુ નહીં જાણતા હોવ તેના આ અમુલ્ય ફાયદા

|

Sep 15, 2021 | 11:06 PM

Health Benefits Of Parsley : કોથમીર વિટામિન કે અને વિટામિન સી તેમજ વિટામિન એ, ફોલેટ અને આયર્નનો સારો સ્રોત છે. રસોઈમાં સુગંધ ભેળવવા વપરાતી કોથમીર સ્વસ્થ માટે ફાયદાકારક છે.

દરરોજ રસોઈમાં સુગંધ માટે ભેળવતા હશો કોથમીર, પરંતુ નહીં જાણતા હોવ તેના આ અમુલ્ય ફાયદા
Health Tips: Know Health benefits of Parsley

Follow us on

કોથમીર માત્ર રસોઈમાં સુગંધ માટે વપરાતો મસાલો જ નહીં પરંતુ લોકપ્રિય ઔષધિ છે. તેનો સ્વાદ હળવો, કડવો છે. તેનો ઉપયોગ સૂપ અને સલાડ જેવી વાનગીઓને સ્વાદ આપવા માટે થાય છે. માત્ર રસોઈમાં જ નહીં પણ રોગોને દૂર કરવામાં કોથમીર અસરકારક છે.

આનો ઉપયોગ એલર્જી અને બળતરાના રોગોની સારવાર માટે થાય છે. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો.

કોથમીરના આરોગ્ય લાભો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એન્ટીઓકિસડન્ટ્સ મેળવવા

કોથમીરમાં ફલેવોનોઈડ્સ, કેરોટીનોઈડ્સ અને વિટામિન સી હોય છે જે સેલ્યુલર ડેમેજ અટકાવે છે. કોષોને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનને રોકવા માટે શરીરને એન્ટીઓકિસડન્ટોની જરૂર છે. કોથમીર ફ્લેવોનોઇડ્સ, કેરોટીનોઇડ્સ અને વિટામિન સીનું પાવરહાઉસ છે. તે રોગોને રોકવામાં મદદ કરે છે. તમારી વાનગીઓમાં સુકી કોથમીર ઉમેરો કારણ કે તેમાં તાજા પાંદડા કરતા વધારે એન્ટીઓકિસડન્ટ હોય છે.

હાડકાં માટે ફાયદાકારક

તેમાં વિટામિન કે હોય છે. તે આપણા હાડકાં માટે ફાયદાકારક છે. આપણા હાડકાને મજબૂત રાખવા અને હાડકાના રોગોને રોકવા માટે ઘણા વિટામિન્સ અને ખનિજોની જરૂર પડે છે. કોથમીર વિટામિન K નો સમૃદ્ધ સ્ત્રોત છે. તે એક આવશ્યક પોષક તત્વ છે જે હાડકાં બનાવતા કોષો માટે ફાયદાકારક છે. અભ્યાસો અનુસાર વિટામિન કેથી સમૃદ્ધ આહાર હાડકાના ફ્રેક્ચરનું જોખમ ઘટાડી શકે છે.

આંખો માટે ફાયદાકારક

તેમાં કેરોટીનોઈડ્સ હોય છે જે આંખોનું રક્ષણ કરે છે અને દ્રષ્ટિ સુધારે છે. કોથમીરમાં લ્યુટીન, બીટા કેરોટિન અને ઝેક્સાન્થિન જેવા કેરોટીનોઇડ્સ હોય છે. તેઓ આંખના ચેપને અટકાવે છે. લ્યુટીન અને ઝેક્સાન્થિન વય સંબંધિત આંખની સમસ્યાઓનું જોખમ ઘટાડે છે. શરીર બીટા કેરોટિનને વિટામિન A માં રૂપાંતરિત કરે છે, જે આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

બ્લડ સુગરનું સ્તર ઘટાડવા માટે

ઘણી વખત સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો બિનઆરોગ્યપ્રદ આહાર અને ખરાબ જીવનશૈલીને કારણે થાય છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અભ્યાસો અનુસાર, કોથમીરનો અર્ક લોહીમાં સુગર સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ માટે

કોથમીરનું નિયમિત સેવન કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રાખે છે. આ સિવાય તે હૃદય સંબંધિત રોગો માટે ફાયદાકારક છે. તે લીવર સંબંધિત રોગોને દૂર રાખવામાં પણ મદદ કરે છે. તે કિડનીનું પણ રક્ષણ કરે છે.

 

આ પણ વાંચો: Health Tips: ઈંડાના શોખીન થઈ જાઓ સાવધાન, તમારા સ્વાસ્થ્ય માટે સમસ્યા ના બની જાય ઈંડાની આડઅસરો!

આ પણ વાંચો: Keto Diet: લોકો અપનાવી રહ્યા છે વજન ઘટાડવાનો આ શોર્ટકટ, પરંતુ શું તમે જાણો છો તે કેટલું છે જોખમી?

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article