Health : આયુર્વેદ અનુસાર કેવી હોવી જોઈએ તમારી સવાર, જાણો આ છે કામની વાત

|

Sep 24, 2021 | 9:37 AM

સવારની આદતોમાં સારા ફેરફારો હંમેશા આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

Health : આયુર્વેદ અનુસાર કેવી હોવી જોઈએ તમારી સવાર, જાણો આ છે કામની વાત
Health: How your morning should be according to Ayurveda

Follow us on

આયુર્વેદ(Ayurved ) અનુસાર, સવારે (Morning )ઉઠતાની સાથે જ શું કરવું જોઈએ, તે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું.

કહેવાય છે કે જો સવારની શરૂઆત સારી હોય તો દિવસ પણ સારો હોય છે અને જો સવારની શરૂઆત યોગ્ય ન હોય તો દિવસ બગડવાનો ભય રહે છે. સવારની આદતોમાં સારા ફેરફારો હંમેશા આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો નિયમિતપણે તેનું પાલન કરવામાં આવે. આયુર્વેદ સવારના નિત્યક્રમને લગતા આવા ઘણા સૂચનો પણ આપે છે, જે સ્વાસ્થ્યને સારું જ રાખે છે પણ દરેક કામમાં સારું લાગે છે. આવી સ્થિતિમાં, જો તમને ખબર ન હોય કે આયુર્વેદ અનુસાર સવારની આદતોમાં કયા ફેરફારોને સમાવવાની જરૂર છે, તેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

તમે સવારે પથારીમાંથી ક્યારે ઉઠો છો ?
સવારે વહેલા ઉઠવું અને રાત્રે સમયસર સુવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક નિયમ માનવામાં આવે છે. આયુર્વેદ ડોક્ટરના જણાવ્યા મુજબ દરરોજ સવારે પાંચ વાગ્યે પથારી છોડવી તંદુરસ્ત વ્યક્તિની નિશાની હોઇ શકે છે.સવારે પાંચ વાગ્યે પથારી છોડવી એ આયુર્વેદ અનુસાર બ્રહ્મ મુહૂર્ત છે અને તે સુંદરતા, શક્તિ, વિદ્યા, બુદ્ધિ અને સ્વાસ્થ્ય લાવી શકે છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ચહેરો કેવી રીતે સાફ કરવો?
આયુર્વેદ માટે સવારના અભ્યાસ મુજબ ઘણા લોકોને આદત હોય છે કે તેઓએ હજુ સુધી આંખો પણ સાફ કરી નથી અને ચા સાથે બેસી જાય છે. પરંતુ, આયુર્વેદ અનુસાર, પહેલા ચહેરાને સાફ કરવો જોઈએ અને ત્યાર બાદ જ કંઈક કરવું જોઈએ. ડોકટર ના જણાવ્યા અનુસાર, સવારે ચહેરો સૌથી પહેલા સાફ કરવો જોઈએ અને તે પણ સામાન્ય પાણીથી. ઘણા લોકો ગરમ પાણી અથવા તો ઠંડા પાણીથી ચહેરો સાફ કરવાનું શરૂ કરે છે, તેથી તમારે તેનાથી બચવું જોઈએ. ચહેરો સાફ કર્યા પછી, તમે લીંબુ અથવા તજ ધરાવતા પાણીનું સેવન કરી શકો છો.

ખાતરી કરો કે તમે કસરત કરો છો
માત્ર આયુર્વેદ મુજબ જ નહીં, પરંતુ અન્ય દૃષ્ટિકોણથી, વહેલી સવારે કસરત કરવી કોઈપણ વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સવારે નિયમિત કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને મન દિવસભર તાજગીભર્યું રહે છે. આયુર્વેદ ડોકટરના જણાવ્યા મુજબ, વ્યક્તિએ સવારે લગભગ 45 મિનિટ સુધી નિયમિત કસરત કરવી જોઈએ. આ સિવાય વહેલી સવારે પાણીમાં લીમડાના પાન નાખીને સ્નાન કરવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: કયા સમયે સ્નાન કરવાના સૌથી વધુ ફાયદા મળે છે? કયા સમયે સ્નાન ન કરવું જોઈએ?

આ પણ વાંચો: Cholesterol: હાઈ કોલેસ્ટ્રોલ ફૂડ ખાધા પછી જરૂર કરો આ 6 કામ, નહીંતર થઈ શકે છે મોટી સમસ્યાઓ

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article