Health Care : ખજૂર સાથે દૂધનું સેવન કરવાથી શરીરના હાડકાં રહેશે મજબૂત, શારીરિક નબળાઈઓ થશે દૂર

ખજૂર (Dates ) શરીરના અનેક રોગોને દૂર કરે છે. શિયાળામાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ખજૂર પ્રકૃતિમાં ગરમ ​​હોય છે, તેથી તેને ઉનાળામાં ન ખાવી જોઈએ.

Health Care : ખજૂર સાથે દૂધનું સેવન કરવાથી શરીરના હાડકાં રહેશે મજબૂત, શારીરિક નબળાઈઓ થશે દૂર
Dates with milk benefits (Symbolic Image )
| Edited By: | Updated on: Jul 18, 2022 | 7:43 AM

ડ્રાયફ્રુટ્સનું (Dry fruits ) સેવન સ્વાસ્થ્ય (Health ) માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ખજૂરનો (Dates ) પણ સમાવેશ થાય છે. ખજૂરમાં વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો હોય છે. તમે રાત્રે સૂતા પહેલા દૂધ સાથે ખજૂરનું સેવન કરી શકો છો. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમ તો દરેક સુકામેવાને ખાવાથી તેના અલગ અલગ ફાયદા રહેલા છે. પણ ખજૂરના ફાયદા સવિશેષ છે. ખાસ કરીને જયારે તેનું સેવન દૂધ સાથે કરવામાં આવે. રાત્રી દરમ્યાન અથવા તો સુતા પહેલા પણ ખજૂર સાથે દૂધનું સેવન કરવાથી શરીરને આ ફાયદા થાય છે. સૌથી પહેલા જાણો આ દૂધને બનાવશો કેવી રીતે અને તેનું સેવન કેવી રીતે કરશો ?

ખજૂરનું દૂધ કેવી રીતે બનાવવું

ખજૂરનું દૂધ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ખજૂરના અગણિત ફાયદાઓ જાણતા પહેલા અહીં ખજૂરનું દૂધ બનાવવાની રીત જાણી લો.

– એક કપ દૂધ લો

એક દૂધમાં બે ખજૂર મિક્સ કરો

– દૂધને સારી રીતે ઉકળવા દો

અડધો કપ દૂધ રહી જાય એટલે પી લો

ખજૂરનું દૂધ રાત્રે જ પીવો

આવો જાણીએ ખજૂરનું દૂધ પીવાના ફાયદા :

સારી ઊંઘ માટે –

સારી ઊંઘ માટે તમે રાત્રે સૂતા પહેલા દૂધ સાથે ખજૂરનું સેવન પણ કરી શકો છો. તમે રાત્રે સૂવાના અડધા કલાક પહેલા તેનું સેવન કરી શકો છો. તેમાં મેગ્નેશિયમ હોય છે. તેનું સેવન કરવાથી રાત્રે સારી ઊંઘ આવે છે. તેનાથી સ્નાયુઓને આરામ મળે છે.

હિમોગ્લોબિન વધારે છે –

ખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. તેનાથી લોહીની ઉણપ દૂર થાય છે. તે એનિમિયાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. લોહીની સમસ્યાને દૂર કરવા માટે તમે તેને ડાયટમાં પણ સામેલ કરી શકો છો.

હૃદયને સ્વસ્થ રાખે છે –

ખજૂરમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. તેમાં પોટેશિયમ, ફાઈબર અને મેગ્નેશિયમ હોય છે. તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રાત્રે ખજૂરનું સેવન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. તેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.

પેટ સાફ રાખે છે –

ખજૂરનું દૂધ પીવાથી પેટ સાફ રહે છે. ખજૂરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. તેથી પાચન યોગ્ય રીતે થાય છે. જ્યારે પેટમાં ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે, તો પેટ સંબંધિત અડધાથી વધુ રોગો આ રીતે ઠીક થઈ જશે.

હાડકાંને મજબૂત રાખે –

ખજૂર હાડકા માટે પણ સારી છે. દૂધ પીવાની સાથે તેમાં કેલ્શિયમ પણ જોવા મળે છે, જેના કારણે શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી થાય છે અને હાડકાં મજબૂત રહે છે. ખજૂરમાં પ્રોટીન હોય છે, જેના કારણે માંસપેશીઓ પણ સારી રહે છે. અને ખજૂર અને દૂધનું મિશ્રણ હાડકાને મજબૂત બનાવે છે. આ સિવાય ખજૂરના દૂધમાં વિટામિન, આયર્ન, એન્ટી-ઓક્સીડેન્ટ વગેરે ગુણ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. તેના નિયમિત સેવનથી સંધિવાથી છુટકારો મળે છે. સારી ઊંઘ પણ આવે છે.

શારીરિક નબળાઈઓ દૂર કરે –

ખજૂરમાં એટલા બધા ફાયદા છે કે તેના નિયમિત સેવનથી શરીરની શારીરિક નબળાઈઓ પણ દૂર થઈ જાય છે. તેમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વધુ હોય છે, જે શરીરને સ્ટેમિના આપે છે. સાથે જ ખજૂર અને દૂધનું સેવન કરવાથી વીર્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. અને શુક્રાણુઓની સંખ્યા વધે છે.

આ દૂધ હૃદય માટે સારું છે-

ખજૂરનું દૂધ પીવાથી હૃદયના રોગો દૂર થાય છે. ખરેખર, ખજૂરનું દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, તેથી તે હૃદય માટે ફાયદાકારક છે. તેનું રોજ અને નિયમિત સેવન કરવાથી હૃદયના રોગો મટે છે.

યાદશક્તિ વધારવી-

ખજૂરનું દૂધ પીવાથી મગજ તેજ બને છે. તમારી યાદશક્તિ ઝડપી બને છે. એવું કહેવાય છે કે દરરોજ બે ખજૂર દૂધ સાથે લેવાથી મગજનો સોજો ઓછો થાય છે. આ સાથે મગજના જ્ઞાનતંતુઓને આરામ મળે છે અને યાદ રાખવાની ક્ષમતા ઝડપથી વધે છે.

દાંતને મજબૂત રાખો-

દરરોજ ખજૂરનું દૂધ પીવાથી દાંત મજબૂત થાય છે. તેમાં ફોસ્ફરસ હોય છે, જે દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છે. આ સિવાય ખજૂરનું દૂધ પીવાથી ચહેરાની ચમક પણ વધે છે. આથી રોગોથી છુટકારો મેળવવા માટે ખજૂરના દૂધનું સેવન કરી શકાય છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)