Health Tips: વિવિધ વાનગીઓમાં સ્વાદ માટે વપરાતા લીલા વટાણા નથી સામાન્ય, જાણો તેના અમુલ્ય સ્વાસ્થ્ય લાભ

|

Aug 27, 2021 | 7:33 AM

લીલા વટાણાનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થાય છે. તેઓ પોષક તત્વોનું પાવરહાઉસ છે. તેમાં ફાઇબર અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો રહેલા છે. ચાલો જાણીએ કે તે સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.

Health Tips: વિવિધ વાનગીઓમાં સ્વાદ માટે વપરાતા લીલા વટાણા નથી સામાન્ય, જાણો તેના અમુલ્ય સ્વાસ્થ્ય લાભ
Health benefits of Adding green peas in your diet

Follow us on

લીલા વટાણા કોના ઘરે નહીં હોય. આપણા સૌના ઘરે આ વટાણા જોવા મળતા હોય છે. બેમાંથી એક સમયના ભોજનમાં પણ કદાચ વટાણાનો ઉપયોગ થાય છે. મોટાભાગે વટાણાનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થાય છે. રસોઈના સ્વાદ માટે વટાણાને વિવિધ શાકભાજી સાથે બનાવવામાં આવે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે વટાણા સ્વાસ્થ્ય માટે કેટલા સારા છે. ખરેખરમાં વટાણાને પોષક તત્વોનું પાવરહાઉસ કહેવામાં આવે છે. તેમાં ફાઇબર અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો રહેલા છે. ચાલો આજે તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય માટે કેવી રીતે વટાણા ફાયદાકારક છે.

પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ

લીલા વટાણા પૌષ્ટિક આહાર છે. લીલા વટાણા પ્રોટીન, વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. તેમેજ એન્ટીઓકિસડન્ટોથી પણ સમૃદ્ધ છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે

વટાણા ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવાથી બ્લડ સુગર લેવલ ઘટાડવામાં ઘણી મદદ મળે છે. તે ટાઈપ 2 ડાયાબિટીસથી પીડાતા દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

પાચનમાં મદદ કરે છે

લીલા વટાણામાં મોટી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ફાઇબર તમારા આંતરડામાં સારા બેક્ટેરિયાને જીવંત રાખે છે અને બિનઆરોગ્યપ્રદ બેક્ટેરિયાને એકઠા થતા અટકાવે છે. વટાણા કોલોન કેન્સરનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે.

ક્રોનિક રોગોને દૂર કરવામાં મદદ કરે છે

લીલા વટાણા મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમથી સમૃદ્ધ છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે. લીલા વટાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ, કેરોટીનોઈડ્સ અને વિટામિન સી પણ હોય છે, જે હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.

જાણે અજાણે અલગ અલગ શાકભાજીમાં ખવાતા વટાણાના પણ અદ્ભુત સ્વાસ્થ્ય લાભ છે. અલગ અલગ શાકભાજીમાં વપરાતા વટાણાનું પણ અલગ શાક બની શકે છે. તે પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે.

 

આ પણ વાંચો: ખુબ જ જરૂરી: ચિકનગુનિયા-ડેન્ગ્યુનો વધી ગયો છે આતંક, જરૂર વાંચો તેના લક્ષણો અને બચવાના ઉપાયો

આ પણ વાંચો: Health Tips: કેળાની છાલ કચરો નહીં સોનું છે, ફાયદા જાણીને તમે પણ ફેંકી દેતા પહેલા એકવાર વિચારશો

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article