Health : ઠંડીથી બચવા આલ્કોહોલનું સેવન કરનારા આ ખાસ વાંચે, જાણો શું કહે છે નિષ્ણાંતોનો મત

થર્મલ ફિઝિયોલોજી અને મેડિસિન ડિવિઝન, યુએસ આર્મી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્વાયર્નમેન્ટલ મેડિસિન દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, આલ્કોહોલ શરીરના મુખ્ય તાપમાનને ઘટાડી શકે છે અ

Health : ઠંડીથી બચવા આલ્કોહોલનું સેવન કરનારા આ ખાસ વાંચે,  જાણો શું કહે છે નિષ્ણાંતોનો મત
Alcohol
| Edited By: | Updated on: Dec 06, 2021 | 12:36 PM

ઘણા લોકો શિયાળાની(Winter ) ઋતુમાં શરીરને ગરમ રાખવા માટે આલ્કોહોલ(Alcohol ) સેવન કરતા હોય છે. જો કે, વધુ પડતા આલ્કોહોલનું સેવન હૃદય માટે હાનિકારક હોઈ શકે છે. સતત દારૂ પીવાથી હૃદય કાર્યક્ષમ રીતે લોહીનું પમ્પિંગ થતું અટકાવે છે. હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે અને તેનાથી હૃદય રોગ થઈ શકે છે. આથી નિષ્ણાતો સલાહ આપે છે કે હૃદયની કાળજી રાખવા માટે વધારે પડતો આલ્કોહોલ ટાળવો જોઈએ.

હૃદય પર આલ્કોહોલની સીધી અસર

પ્રસંગોપાત આલ્કોહોલનું સેવન અસ્થાયી ધોરણે બ્લડ પ્રેશર વધારી શકે છે. વૈજ્ઞાનિક પુરાવા સૂચવે છે કે આલ્કોહોલ બંધ કરવાથી બ્લડ પ્રેશર ઘટી શકે છે. હાઈ બ્લડ પ્રેશર રક્તવાહિનીઓની દિવાલોને સખત અને જાડી કરી શકે છે, અને આ સ્ટ્રોક તરફ દોરી શકે છે. વધુ પડતું પીવાથી હૃદયના સ્નાયુઓને નુકસાન થાય છે, જેમાં હૃદય અસરકારક રીતે રક્ત પંપ કરી શકતું નથી.

સતત પરસેવો, છાતીમાં દુખાવો

હાર્ટ એટેકનું મુખ્ય લક્ષણ છાતીમાં દુખાવો છે. જો હૃદયના સ્નાયુઓને જરૂરી લોહી, ઓક્સિજનનો પુરવઠો ન મળે, તો આ લક્ષણો દેખાય છે. લક્ષણોમાં છાતીમાં દુખાવો, ચક્કર આવવા, અસ્વસ્થતા, ગૂંગળામણ, શ્વાસ લેવામાં તકલીફ, ખભામાં દુખાવો, હાથ અને ગરદનમાં દુખાવો અને પીઠનો દુખાવો સામેલ છે. હાર્ટબર્નને કારણે છાતીના ઉપરના ભાગમાં પરસેવો અને બળતરા થાય છે. જો લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

મદ્યપાનની આડ અસરો

વધુ પડતા આલ્કોહોલનું સેવન હૃદય પર અસર કરે છે. તેને આલ્કોહોલિક કાર્ડિયોમાયોપેથી કહેવામાં આવે છે. હૃદયના પમ્પિંગ રેટમાં ઘટાડો થાય છે અને હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે. હૃદયની માંસપેશીઓ નબળી પડી જાય છે અને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પણ થાય છે.

થર્મલ ફિઝિયોલોજી અને મેડિસિન ડિવિઝન, યુએસ આર્મી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્વાયર્નમેન્ટલ મેડિસિન દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, આલ્કોહોલ શરીરના મુખ્ય તાપમાનને ઘટાડી શકે છે અને હાયપોથર્મિયાનું જોખમ વધારી શકે છે.

હાયપોથર્મિયા એ એક ગંભીર તબીબી સ્થિતિ છે જ્યાં શરીર ગરમી ઉત્પન્ન કરે તે પહેલાં તે ગુમાવે છે, જેના પરિણામે શરીરનું તાપમાન ખતરનાક રીતે ઓછું થાય છે. જ્યારે સામાન્ય શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે, ત્યારે હાયપોથર્મિયાથી પીડિત વ્યક્તિના શરીરનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે. સામાન્ય ચિહ્નોમાં ધ્રુજારી, શ્વાસનો ધીમો દર, અસ્પષ્ટ વાણી, ઠંડી ત્વચા અને થાકનો સમાવેશ થાય છે.

ભારે આલ્કોહોલનું સેવન ઘણીવાર હાયપોથર્મિયાના વધતા જોખમ અને અતિશય ઠંડા હવામાન સાથે જોડાયેલી અન્ય પરિસ્થિતિઓ સાથે સંકળાયેલું છે. અભ્યાસ દર્શાવે છે કે આલ્કોહોલની મનોવૈજ્ઞાનિક અને વર્તણૂકીય અસરો હોય છે, જે વ્યક્તિની ઠંડી કેટલી છે તે યોગ્ય રીતે સમજવાની ક્ષમતાને અસર કરી શકે છે. આથી, ભારે દારૂ પીધા પછી અને બહાર નીકળ્યા પછી લોકો હાયપોથર્મિયાનો ભોગ બન્યાના કિસ્સાઓ અત્યંત ઠંડા હવામાનવાળા સ્થળોએ સામાન્ય રીતે નોંધાય છે.

આ પણ વાંચો: Surat : કોરોનાની સારવાર કરાવનારાઓને મેયર ફંડમાંથી રૂપિયા 1.83 કરોડની આર્થિક સહાય

આ પણ વાંચો: સામાન્ય લસણ કરતાં અનેક ગણું વધુ ફાયદાકારક છે આ કાશ્મીરી લસણ, ફાયદા જાણીને હેરાન રહી જશો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Follow Us