Bhavyata Gadkari | Edited By: Kunjan Shukal
Apr 27, 2021 | 7:56 PM
Corona Vaccination: સરકાર 1લી મેથી 18 વર્ષથી વધુની વયના લોકોને વેક્સિનના ડોઝ અપાવવા જઈ રહી છે, ત્યારે વેક્સિનેશનને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક વાતો વાયરલ થઈ રહી છે તો જાણો તેની સત્યતા
સોશિયલ મીડિયા પર કેટલીક મહિલાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે પિરીયડ્સ એટલે કે માસિક દરમિયાન વેક્સિન લેવુ નુક્શાનકારક હોય શકે છે. સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રમાણમાં દાવા કરવામાં આવ્યા છે કે મહિલાઓએ માસિકના પાંચ દિવસ પહેલા અને પાંચ દિવસ પછી વેક્સિન લેવી નહીં.
સરકારે આ અફવાને ખોટી બતાવીને લોકોને તે શેયર નહીં કરવા અપીલ કરી છે.
PBIએ એક ટ્વીટ કરીને જણાવ્યુ કે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓએ માસિક સમયે વેક્સિન લેવી ન જોઈએ, જે માહિતી સંપૂર્ણ પણે ખોટી છે અને 18 વર્ષથી વધુ વયના લોકો 1લી મે બાદ વેક્સિન જરૂરથી લગાવે.
પ્રતિકાત્મક તસ્વીર
કોરોના મહામારી સામે લડવા માટે વેક્સિન મહત્વપૂર્ણ હથિયાર છે. એટલે જ સરકાર વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવાની દિશામાં પ્રયત્ન કરી રહી છે.
દુનિયાભરના મેડિકલ એક્સપર્ટ્સ અને ડૉક્ટરોનું કહેવુ છે કે વેક્સિન જરૂરથી લો. વેક્સિનના કારણે જ તમારા શરીરમાં એન્ટીબોડી બનશે અને તમને કોરોના સામે રક્ષણ મળશે.