Cancer : આ ચાર કારણોને કારણે નાની ઉંમરમાં પણ લોકો બની રહ્યા છે કેન્સર જેવા જીવલેણ રોગનો શિકાર

આજકાલ યુવાનોમાં ધૂમ્રપાન અને દારૂનું વ્યસન ઘણું વધી ગયું છે. ઘણા યુવાનોને પણ તેમની લત લાગી ગઈ છે. વધુ સિગારેટ પીવાથી ફેફસાંનું કેન્સર થાય છે. આલ્કોહોલના કારણે લીવર અને પેટના કેન્સરના કેસ નોંધાઈ રહ્યા છે.

Cancer : આ ચાર કારણોને કારણે નાની ઉંમરમાં પણ લોકો બની રહ્યા છે કેન્સર જેવા જીવલેણ રોગનો શિકાર
Due to these four reasons people are becoming victims of deadly diseases like cancer(Symbolic Image )
| Edited By: | Updated on: Oct 13, 2022 | 8:48 AM

સમગ્ર વિશ્વમાં કેન્સરના(Cancer ) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. WHO ના મતે ભારતમાં છેલ્લા 10 વર્ષમાં કેન્સરના કેસોમાં 30 ટકાનો વધારો થયો છે. દેશમાં કેન્સરથી પીડિત 10માંથી 6 લોકો મૃત્યુ પામે છે. આ રોગના કેસો સતત વધી રહ્યા છે. ICMRએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આગામી પાંચ વર્ષમાં દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં 12 ટકા સુધીનો વધારો થઈ શકે છે. નાની ઉંમરમાં પણ આ રોગના કેસો આવી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. આ જીવલેણ રોગના કેસ વધવાના મુખ્ય ચાર કારણો છે.

જીવનશૈલી :

લેન્સેન્ટ અભ્યાસ જણાવે છે કે નાની ઉંમરમાં કેન્સર થવાના મુખ્ય ચાર કારણો છે. આમાંથી પ્રથમ ખરાબ જીવનશૈલી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જીવનશૈલીની બગાડને કારણે પ્રોસ્ટેટ કેન્સર, થાઈરોઈડ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. સમયસર ઊંઘ ન લેવાની આદત અને જીવનશૈલીમાં સક્રિયતાના અભાવને કારણે આ રોગ વધી રહ્યો છે. લોકોના જીવનમાં માનસિક તણાવ પણ ઘણો વધી ગયો છે. એવું જોવામાં આવી રહ્યું છે કે હવે 30 થી 50 વર્ષની વયજૂથમાં પણ કેન્સરના કેસ સામે આવી રહ્યા છે, જ્યારે કેટલાક દાયકાઓ પહેલા સુધી આ રોગ વૃદ્ધ લોકોમાં વધુ જોવા મળતો હતો.

ખરાબ ખાવાની ટેવ

કેન્સરના કેસ વધવાનું બીજું કારણ ખોટું આહાર છે. ફાસ્ટ ફૂડ અને તળેલા ખોરાકના વધતા જતા ચલણને કારણે કેન્સર થઈ રહ્યું છે. વધુ માંસ અને પ્લાસ્ટિકની વસ્તુઓ ખાવા કે પાણી પીવાથી પણ આ રોગ વધી રહ્યો છે. કારણ કે પ્લાસ્ટિકમાં ખતરનાક રસાયણો હોય છે જે આપણી અંદર જાય છે અને કેન્સરનું કારણ બને છે.

વધતી જતી સ્થૂળતા

કેન્સરનું ત્રીજું મુખ્ય કારણ સ્થૂળતામાં વધારો છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં સ્થૂળતાની સમસ્યા વધી રહી છે. શરીરનો વધારાનો BMI કેન્સરને આમંત્રણ આપે છે. આવી સ્થિતિમાં શરીરને ફિટ રાખવું ખૂબ જ જરૂરી છે. જો BMI વધી રહ્યો છે તો તેને નિયંત્રિત કરવાના પ્રયાસો કરવા જોઈએ. નિષ્ણાતો કહે છે કે દિવસમાં ઓછામાં ઓછો અડધો કલાક થોડી કસરત કરવી જોઈએ.

ધૂમ્રપાન અને મદ્યપાન

આજકાલ યુવાનોમાં ધૂમ્રપાન અને દારૂનું વ્યસન ઘણું વધી ગયું છે. ઘણા યુવાનોને પણ તેમની લત લાગી ગઈ છે. વધુ સિગારેટ પીવાથી ફેફસાંનું કેન્સર થાય છે. આલ્કોહોલના કારણે લીવર અને પેટના કેન્સરના કેસ નોંધાઈ રહ્યા છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)