Black Pepper Water : કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે પીવો કાળા મરીનું પાણી

|

Oct 19, 2021 | 9:00 AM

Black Pepper Water : કાળી મરીમાં એન્ટી બેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણ હોય છે. આ ચેપને દૂર રાખવામાં મદદ કરે છે. તમે કાળી મરીના પાણીનું પણ સેવન કરી શકો છો, ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો.

Black Pepper Water : કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે પીવો કાળા મરીનું પાણી
Drink black pepper water to keep the immune system strong

Follow us on

કાળા મરીનો ઉપયોગ ઘણી વાનગીઓનો સ્વાદ વધારવા માટે થાય છે. તે માત્ર ભોજનનો સ્વાદ જ વધારવામાં નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. આ ચેપને દૂર રાખવામાં મદદ કરે છે.

આ સિવાય તેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે. તે સોજો ઘટાડવા અને ઈજાના દુખાવામાં ઘટાડો કરવામાં ફાયદાકારક છે. કાળા મરી મોટેભાગે સૂપ, ચા અને ડેકોક્શન્સ વગેરેમાં સમાવવામાં આવે છે. તમે કાળા મરીના પાણીનું પણ સેવન કરી શકો છો, ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો.

કાળા મરીનું પાણી કેવી રીતે બનાવવું

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સૌથી પહેલા 2-3 કાળા મરીના દાણા લો અને તેને એક કપ પાણીમાં ઉકાળો. જ્યારે પાણીનો રંગ બદલાવા લાગે ત્યારે તેને એક કપમાં નાખીને પીવો.

આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે

સંશોધન દર્શાવે છે કે કાળા મરી આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરી શકે છે, જેનાથી તમારું સ્વાસ્થ્ય સુધરે છે. તે શરીરને કુદરતી રીતે ડિટોક્સિફાઇ કરવામાં પણ મદદ કરી શકે છે.

એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ

એક અભ્યાસ મુજબ કાળા મરીમાં પાઇપરિન ભરપૂર માત્રામાં હોય છે. આ એક તત્વ છે જે એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે. તે મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનને રોકવામાં મદદ કરી શકે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે

વજન ઘટાડવું એ આ પીણાના મુખ્ય સ્વાસ્થ્ય લાભોમાંનું એક છે. જ્યારે ઘણા લોકો તેમના સવારના નિત્યક્રમના ભાગરૂપે પાણી પીવે છે, પાણીમાં એક ચપટી કાળા મરીનો પાઉડર ઉમેરવાથી ફાયદામાં વધારો થશે. આ ચયાપચયને વેગ આપી શકે છે, જે પાચનમાં સુધારો કરે છે અને કેલરી બર્ન કરે છે.

અપચોમાં રાહત આપે છે

જો તમે અપચોથી પરેશાન છો, તો કાળા મરીનું પાણી તમને રાહત આપી શકે છે. તે પાચન ઉત્સેચકો ધરાવે છે જે પાચનમાં મદદ કરે છે. સ્વાદુપિંડના ઉત્સેચકો પર તેની ફાયદાકારક અસર છે, જે એકંદર પાચન પ્રક્રિયાને વધારે છે.

ડિહાઇડ્રેશન અટકાવે છે

ગરમ પાણી અને કાળા મરીનું મિશ્રણ આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અન્ય ફાયદાઓની જેમ, તે ત્વચાના કોષોને ફરી ભરીને શુષ્કતા મટાડે છે. આ તમને દિવસભર એનર્જેટિક રાખે છે. તે ત્વચાને હાઇડ્રેટેડ પણ રાખે છે.

 

આ પણ વાંચો: Benefits Of Hing Water: હિંગના પાણીને સામાન્ય સમજવાની ભૂલ ના કરતા, જાણો આ અસામાન્ય ફાયદા

આ પણ વાંચો: ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ શું છે? જેનું અમદાવાદ પર તોળાઈ રહ્યું છે જોખમ, જાણો લક્ષણો, કારણો અને નિવારણ

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article