આકરા તડકા અને આકરા ઉનાળાની (Summer ) વચ્ચે જ્યારે એક ગ્લાસ ઠંડું શરબત મળે છે ત્યારે લોકોને ગરમીથી (Heat ) તો રાહત મળે જ છે સાથે સાથે મન અને શરીરને પણ સ્ફૂર્તિ (Energy ) મળે છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે તાજેતરમાં આવા જ એક શરબતની રેસીપી શેર કરી છે, જે ઉનાળાની ઋતુમાં લોકોને થતી સમસ્યાઓથી રાહત આપવાનું કામ કરે છે. રુજુતા દિવેકરે એક વીડિયો પોસ્ટ કરતાં વરિયાળીમાંથી બનેલા આ ખાસ પીણા વિશે વાત કરી. વરિયાળીમાંથી બનેલા આ પીણાનું નામ વરિયાળી શરબત છે.
રુજુતા દિવેકરે તેની સિરીઝ રેસિપીઝ ઓફ ઈન્ડિયામાં વરિયાળીમાંથી બનેલા આ શરબત વિશે ચર્ચા કરી હતી. તેમના મતે ઉનાળામાં આ શરબતનું સેવન કરવું દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહીં વાંચો વરિયાળીમાંથી બનાવેલ આ શરબત ઘરે તૈયાર કરવાની સરળ રીત.
1 લિટર ઠંડુ પાણી
શેકેલા જીરાનો પાવડર
2 ચમચી વરિયાળી અથવા વરિયાળીના બીજ
1 ટીસ્પૂન ફુદીનાની ચટણી
સ્વાદ મુજબ મીઠું
એક ચપટી કાળા મરી પાવડર
હીંગ
લીંબુ સરબત
પ્રમાણસર ખાંડ
ઉનાળામાં થતી એસિડિટી, પેટનું ફૂલવું અને કબજિયાત જેવી પાચન તંત્રને લગતી સમસ્યાઓથી રાહત મળે છે. આ શરબત મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે યોનિમાર્ગની શુષ્કતા અને ઊનવા જેવી સમસ્યાઓથી રાહત અપાવે છે.
(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)
Published On - 2:04 pm, Fri, 6 May 22