
સામાન્ય રીતે માનવ શરીરમાં 8 પ્રકારના બ્લડ ગ્રુપ જોવા મળે છે. આમાં A+, A-, B+, B-, O+, O-, AB+, AB- વગેરે બ્લડ ગ્રૂપનો સમાવેશ થાય છે. બ્લડ ગ્રૂપ એન્ટિજેન દ્વારા નક્કી કરવામાં આવે છે. તમે જાણતા જ હશો કે લોહી લાલ રક્તકણોમાંથી બને છે. તેમની ઉપર પ્રોટીનનું એક સ્તર હોય છે, જેને એન્ટિજેન અથવા આરએચ તરીકે ઓળખવામાં આવે છે.
આ બ્લડ ગ્રુપની વાત છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા બ્લડ ગ્રુપ પર પડે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ફૂડ ખાવું જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે તમારા બ્લડ ગ્રુપ પ્રમાણે ડાયટ ફોલો કરશો તો તમે જીવનભર સ્વસ્થ રહી શકશો. ચાલો જાણીએ કે તમારા બ્લડ ગ્રુપ પ્રમાણે તમારે કેવો આહાર લેવો જોઈએ.
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જે લોકોનું બ્લડ ગ્રુપ A હોય તેમણે શાકાહારી આહાર પર ધ્યાન આપવું જોઈએ. આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ તેમના આહારમાં શાકભાજી, અનાજ, કઠોળ અને ફળોનો સમાવેશ કરવો જોઈએ.
AB બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ ખાસ કરીને રેડ મીટ ખાવાનું ટાળવું જોઈએ. આવા બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં હાઈડ્રોક્લોરિક એસિડની ઉણપ હોય છે જે ખોરાકના પાચનમાં મદદ કરે છે. તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. આ સાથે બાજરો પણ ખાઓ.
B બ્લડ ગ્રુપ ધરાવતા લોકો કોઈપણ પ્રકારનો ખોરાક ખાઈ શકે છે. પરંતુ આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમણે શાકાહારી અને માંસાહારી ખોરાક મર્યાદિત માત્રામાં જ ખાવો જોઈએ. આ લોકોએ તેમના આહારમાં ડેરી ઉત્પાદનો, માંસ અને ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. આ સાથે આ લોકોએ વર્કઆઉટ પણ કરવું જોઈએ.
આ પણ વાંચો : શિયાળામાં ગોળ સાથે ખાઈ લેશો આ વસ્તુ તો નહી થાય શરદી, ઉધરસ સહિતની અનેક બિમારીઓ, જાણો શું છે તે
O બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ તેમના આહારમાં અનાજ અને કઠોળનો સમાવેશ કરવો જોઈએ. આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકો માટે સ્વસ્થ રહેવા માટે આ આહાર વધુ સારો વિકલ્પ છે. સ્વસ્થ રહેવા માટે હવેથી તમારે તમારા આહારમાં તમારા બ્લડ ગ્રુપ પ્રમાણેની વસ્તુઓનો પણ સમાવેશ કરવાનું શરૂ કરી દેવું જોઈએ.
Published On - 8:39 pm, Fri, 24 November 23