સમગ્ર ગુજરાત સ્વાઈન ફ્લૂની ચપેટમાં, 24 કલાકમાં અધધધ 114 કેસ નોંધાયા

ગુજરાતમાં સ્વાઈન ફલૂના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.  24 કલાકમાં  રાજ્યમાં 114 કેસો નોંધાવાનો વિક્રમ બની ગયો છે. સ્વાઈન ફલૂના ભરડામાં અમદાવાદ શહેર સૌથી મોખરે છે. એકલા અમદાવાદ શહેરમાં સૌથી વધુ 39 કેસ સ્વાઈન ફલૂ પોઝિટિવના કેસ નોંધાયો છે. 24 કલાકમાં બે દર્દીનાં મોત નિપજ્યા છે. આમ આ નવા વર્ષની વાત કરીએ તો કુલ 95 […]

સમગ્ર ગુજરાત સ્વાઈન ફ્લૂની ચપેટમાં, 24 કલાકમાં અધધધ 114 કેસ નોંધાયા
| Updated on: Feb 25, 2019 | 5:25 PM

ગુજરાતમાં સ્વાઈન ફલૂના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.  24 કલાકમાં  રાજ્યમાં 114 કેસો નોંધાવાનો વિક્રમ બની ગયો છે.

સ્વાઈન ફલૂના ભરડામાં અમદાવાદ શહેર સૌથી મોખરે છે. એકલા અમદાવાદ શહેરમાં સૌથી વધુ 39 કેસ સ્વાઈન ફલૂ પોઝિટિવના કેસ નોંધાયો છે. 24 કલાકમાં બે દર્દીનાં મોત નિપજ્યા છે. આમ આ નવા વર્ષની વાત કરીએ તો કુલ 95 જેટલાં લોકોએ પોતાના જીવ સ્વાઈન ફ્લૂના લીધે માત્ર ગુજરાતમાં જ ગુમાવ્યા છે. 

સરકારની વિવિધ હોસ્પીટલોમાં સ્વાઈન ફલૂની ઓપીડીના ઠેકાણા નથી જેના લીધે દર્દીઓને અમદાવાદ જેવા શહેરોમાં આવેલી મોટી હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યા છે. પ્રાઈવેટ હોસ્પિટલો ઓછી સુવિધા આપીને જેમ-તેમ સારવાર કરી રહી છે તેવું પણ હમણાં બહાર આવેલું અને ઘણીબધી ખાનગી હોસ્પિટલોને સ્વાઈન ફ્લૂની ઓપીડીમાં યોગ્ય સુવિધા તેમજ કાળજી ન લેવાના મુદ્દે નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

TV9 Gujarati

 

હાલમાં આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યમાં 1960 જેટલાં લોકો સારવાર લઈ ચૂક્યાં છે જ્યારે રાજ્યની વિવિધ હોસ્પિટલો ખાતે 678 જેટલાં લોકો સ્વાઈન ફ્લૂની સારવાર લઈ રહ્યા છે.  મોટા શહેરોમાં તાજેતરમાં નવા નોંધાયેલા કેસો પર જોવા જઈએ તો તેમાં સુરતમાં 8, સાબરકાંઠામાં 9, વડોદરા શહેર અને આણંદ ખાતે 6 કેસ, અમરેલી ખાતે 5 કેસ, બાકી અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર શહેર, ભરુચ, ગીર-સોમનાથ, ખેડા, સુરેન્દ્રનગર, તાપી, બોટાદ, નર્મદા ખાતે 1-1 કેસ નોંધાયા છે.

[yop_poll id=1810]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]