પચવામાં હલકી અને પૌષ્ટિક શાકભાજી એટલે પરવળ, જાણો ફાયદા

જો તમે એવી શાકભાજીની શોધમાં છો જે પચવામાં પણ હલકી હોય અને પૌષ્ટિક હોય તો એ શાકભાજી છે પરવળ. પરવળનું શાક એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં વિટામિન એ, બી1, બી2 અને વિટામિન સી આવેલા છે. પરવળમાં કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત રહેલો છે. તેની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં હોય છે. પરવળની બીજી મોટી […]

પચવામાં હલકી અને પૌષ્ટિક શાકભાજી એટલે પરવળ, જાણો ફાયદા
| Edited By: | Updated on: Oct 17, 2020 | 6:46 PM

જો તમે એવી શાકભાજીની શોધમાં છો જે પચવામાં પણ હલકી હોય અને પૌષ્ટિક હોય તો એ શાકભાજી છે પરવળ. પરવળનું શાક એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં વિટામિન એ, બી1, બી2 અને વિટામિન સી આવેલા છે. પરવળમાં કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત રહેલો છે. તેની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં હોય છે. પરવળની બીજી મોટી ખાસિયત એ પણ છે કે તે લાંબા સમય સુધી તાજી રહી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પરવળ ખાવાના ફાયદા:

1). પરવળમાં એન્ટીઓક્સીડેન્ટ આવેલા છે. તેમાં એન્ટી એજિંગ ગુણ પણ છે. જેથી તે વધતી ઉંમરના લક્ષણોને અટકાવે છે. તે ચહેરા પરની ઝીણી કરચલીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે.

2). પરવળ ત્વચા સંબંધિત સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. પરવળમાં રહેલા બીજ પાચન અને કબજિયાત સાથે જોડાયેલી સમસ્યા દૂર કરે છે. ડાયાબિટીસના દર્દીઓને ખાસ પરવળ ખાવાની સલાહ આપવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

3). પરવળ ઈમ્યુન સિસ્ટમને પણ વધારે છે. તે તાવ, શરદી ખાંસી, સ્કીન ઈન્ફેક્શન અને ઈજાઓમાં રાહત આપવાનું કામ કરે છે.

4). જો તમારા બાળકને ભૂખ નથી લાગતી તો પરવળ આ સમસ્યાને દૂર કરી શકે છે. તે પેટના કીડાને મારવામાં મદદ કરે છે.

5). પરવળમાં ભરપૂર માત્રામાં ડાયેટ્રી ફાઈબર્સ હોય છે, જે પાચન તંત્રને યોગ્ય કરવામાં મદદ કરે છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો