કમજોર ઈમ્યુનિટી ધરાવનાર લોકોએ આજથી જ શરૂ કરી દેવું જોઈએ ફુદીનાનું સેવન, મળશે ફાયદા

કોરોનાવાઈરસનો પ્રકોપ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. રોજ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વાઈરસના સંક્રમણથી બચવા માટે નિષ્ણાતો અને ડોક્ટર ઇમ્યુનિટી મજબૂત રાખવાની સલાહ આપી રહ્યા છે. કારણ કે કમજોર ઈમ્યુનિટી વાળાને આ વાઈરસનો સમયથી વધારે ખતરો રહેલો છે. કોરોનાના સમયમાં જરા અમથી સામાન્ય શરદી પણ લોકોની રાતની ઊંઘ બગાડી શકે […]

કમજોર ઈમ્યુનિટી ધરાવનાર લોકોએ આજથી જ શરૂ કરી દેવું જોઈએ ફુદીનાનું સેવન, મળશે ફાયદા
| Edited By: | Updated on: Oct 20, 2020 | 4:48 PM

કોરોનાવાઈરસનો પ્રકોપ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. રોજ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વાઈરસના સંક્રમણથી બચવા માટે નિષ્ણાતો અને ડોક્ટર ઇમ્યુનિટી મજબૂત રાખવાની સલાહ આપી રહ્યા છે. કારણ કે કમજોર ઈમ્યુનિટી વાળાને આ વાઈરસનો સમયથી વધારે ખતરો રહેલો છે. કોરોનાના સમયમાં જરા અમથી સામાન્ય શરદી પણ લોકોની રાતની ઊંઘ બગાડી શકે છે. તેવામાં આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે લોકો ફુદીનાનું સેવન કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સ્ટ્રોંગ ઈમ્યુનિટી માટે ખાઓ ફુદીનો :

ફુદીનાના પત્તામાં ભરપૂર માત્રામાં ફોસ્ફરસ, કેલ્શિયમ અને વિટામિન સી હોય છે, જે ઈમ્યૂનિટીને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે સાથે જ તેમાં રહેલા વિટામિન એ, ડી, અને ઈ રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. શરીરની કોશિકાઓને કોઈપણ પ્રકારના નુકસાનથી પણ તે બચાવે છે. આ સાથે જ તેના સેવનથી જો ફેફસામાં કોઈ પ્રકારનું બ્લોકેજ હોય તો તે પણ દૂર થઈ જાય છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શરદી ખાંસી થશે દૂર :
સામાન્ય રીતે બદલાતા મોસમમાં શરદી-ખાંસીની સમસ્યા લોકોને હેરાન કરી નાખે છે. જો તમને મોસમ બદલાવાથી આ સમસ્યા શરૂ થઈ જાય છે તો ફુદીનાનું સેવન તમારા માટે લાભકારક સાબિત થઈ શકે છે. કફ જમા થવાથી જે લોકોના ગળામાં ખારાશ અથવા તો ખંજવાળ જેવી સમસ્યા થાય છે. તેવામાં ફુદીનામાં રહેલા એન્ટિ બેક્ટેરિયલ ગુણ તેનાથી છુટકારો અપાવે છે. તેનાથી માથાનો દુખાવો અને તાવથી પણ રાહત મળે છે.

કેવી રીતે કરશો ઉપયોગ ?

તમે ઈચ્છો તો ફુદીનાથી બનેલી ચા પી શકો છો. તેને ગરમ પાણીમાં ઉકાળીને વરાળ લેવાથી પણ બંધ નાકમાં આરામ મળશે. તમે તેની સાથે તેટલી જ માત્રામાં આદુનો રસ પણ મેળવો અને તેનું સેવન પણ કરી શકો છો. ફુદીનામાં કાળી મરી, કાળું મીઠું અને સૂંઠથી બનેલું ઉકાળો પીવાથી શરદી ખાંસી અને તાવને દૂર થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.