શું તમને ખબર છે કે દહીં પણ Non-Veg હોઈ શકે? અને અજાણતાં જ દરરોજ Non-Veg દહીં ખાઈ રહ્યાં છો

|

Jan 07, 2019 | 7:42 AM

આયુર્વેદની ભાષામાં દહીંને જીવાણુઓનું ઘર માનવામાં આવે છે. જો તમે એક કપ દહીંમાં રહેલા જીવાણુંઓની ગણતરી કરશો તો કરોડો જીવાણુઓ તેમાં જોવા મળશે. અને તે જીવાણુઓ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી હોય છે. તેવામાં તમે દહીંમાં શું નાખીને ખાઓ છો તે પણ મહત્ત્વનું બની રહે છે. દહીંમા શું નાખીને ખાવાથી તમને ફાયદો થાય કે નુક્સાન […]

શું તમને ખબર છે કે દહીં પણ Non-Veg હોઈ શકે? અને અજાણતાં જ દરરોજ Non-Veg દહીં ખાઈ રહ્યાં છો

Follow us on

આયુર્વેદની ભાષામાં દહીંને જીવાણુઓનું ઘર માનવામાં આવે છે. જો તમે એક કપ દહીંમાં રહેલા જીવાણુંઓની ગણતરી કરશો તો કરોડો જીવાણુઓ તેમાં જોવા મળશે. અને તે જીવાણુઓ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી હોય છે.

તેવામાં તમે દહીંમાં શું નાખીને ખાઓ છો તે પણ મહત્ત્વનું બની રહે છે. દહીંમા શું નાખીને ખાવાથી તમને ફાયદો થાય કે નુક્સાન એ જાણીએ:

જો તમને મીઠું (ગળ્યું) દહીં ખાવાની ટેવ છે તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે પણ જો દહીમાં મીઠું નાખવાની ટેવ છે તો તેનો કોઈ ફાયદો નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જો તમે દહીંમાં એક ચપટી મીઠું નાખો છો તો એક મિનીટમાં જ દહીંમા રહેલા તમામ બેક્ટેરિયા મરી જાય છે અને તે મરેલા જીવાણુંઓ તમારા શરીરમાં જાય છે જેનો કોઈ ફાયદો નથી.

જ્યારે કે જો તમે 100 કિલો દહીંમા એક ચપટી મીઠું નાખશો તો દહીંના તમામ બેક્ટેરિયલ ગુણ ખતમ થઈ જશે કારણ કે મીઠામાં જ કેમિકલ્સ છે તે જીવાણુઓના દુશ્મન છે.

દહીંમાં ગળપણ નાખીને ખાશો તો થશે ફાયદો

જો દહીંમા કંઈ ઉમેરીને ખાવું હોય તો હંમેશાં તેમાં ગળપણ ઉમેરીને ખાઓ. દહીંમાં ગોળ કે ખાંડ ઉમેરીને ખાઓ.

આ ક્રિયાને વધારે સારી રીતે સમજવા તમે એક સાઈન્ટિફિક સાધનો મળતા હોય તેવી દુકાનમાંથી એક લેન્સ ખરીદી લો. અને લેન્સ દ્વારા દહીંમા દોશો તો નાના-નાના હજારો બેક્ટેરિયા જોવા મળશે.

આ બેક્ટેરિયા જીવિત અવસ્થામાં હશે અને આમતેમ ચાલતા દેખાશે. આ બેક્ટેરિયા જીવિત અવસ્થામાં જ આપણા શરીરમાં જવા જોઈએ કારણ કે દહીં ખાવાથી આપણી અંદરની એંઝાઈમ પ્રક્રિયા સારી રીતે ચાલે છે.

આયુર્વેદમાં કહેવાયું છે કે દહીંમાં એવી વસ્તુ મિક્સ કરો જે જીવાણુઓને વધારે, ના કે તેને મારી નાખે કે ખતમ કરી નાખે.

દહીંમાં ગોળ ઉમેરીને ખાઓ, ગોળ નાખતા જ જીવાણુઓની સંખ્યા ડબલ થઈ જશે અને તેઓ 1 કરોડથી 2 કરોડ થઈ જશે. બસ થોડી વાર દહીંમાં ગોળ નાખી મૂકી રાખો.

આ પણ વાંચો: લો, મળી ગયો સેંકડો વર્ષ જૂના સવાલનો જવાબ, જાણો ઈંડા વૅજ છે કે નૉન-વૅજ

દહીંમા જો સાકર નાખવામાં આવે તો પણ સારું રહે છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ પણ દહીંમાં સાકર નાખીને જ ખાતા હતા. જૂના જમાનામાં પણ લોકો દહીંમા ગોળ કે સાકર નાખીને ખાતા હતા.

તો જો તમે પણ અત્યાર સુધી દહીંમાં મીઠું નાખવાની ભૂલ કરતા હતા તો આજથી જ તે બંધ કરી દો અને એવી રીતે દહીંનું સેવન કરો જે તમારા શરીરને ફાયદો પહોંચાડે.

[yop_poll id=501]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:23 am, Mon, 7 January 19

Next Article