Broccoli તમારા માટે ખાવું ખુબ જરૂરી છે? જાણો શું છે કારણ

|

Mar 19, 2021 | 11:08 PM

બ્રોકોલી (Broccoli) લીલી શાકભાજી છે. જે કોબી અને ફલાવર જેવી લાગે છે. બ્રોકોલીમાં (Broccoli) એ વિટામિન, ખનિજો, ફાઈબર, બાયોએક્ટિવ સંયોજનો અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર પોષક તત્વોનો ખજાનો છે.

Broccoli તમારા માટે ખાવું ખુબ જરૂરી છે? જાણો શું છે કારણ
બ્રોકોલી

Follow us on

બ્રોકોલી (Broccoli) લીલી શાકભાજી છે. જે કોબી અને ફલાવર જેવી લાગે છે. બ્રોકોલીમાં (Broccoli) એ વિટામિન, ખનિજો, ફાઈબર, બાયોએક્ટિવ સંયોજનો અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર પોષક તત્વોનો ખજાનો છે. બ્રોકોલીને કાચી અથવા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને ખાઈ શકાય છે. વિટામિન સીથી ભરપૂર બ્રોકોલી કાચી અને પાકેલી બંને રીતે સ્વાસ્થ્ય માટે સારી છે.

 

બ્રોકોલી ખાવાના ફાયદા

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બ્રોકોલીમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઈબરથી ભરપૂર છે જે પાચનમાં મદદ કરે છે, કબજિયાત અટકાવે છે. બ્લડ શુગર લેવલને પૂરું કરે છે. વજન ઘટાડવા માટે બ્રોકોલી બેસ્ટ ઓપશન છે. બ્રોકોલીમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં છે. બ્રોકોલીમાં કેલ્શિયમ અને વિટામિન ભરપૂર પ્રમાણમાં છે. બ્રોકોલીનું સેવન હાડકાના સ્વાસ્થ્ય અને ઓસ્ટિઓપોરોસિસને રોકવા માટે મહત્વપૂર્ણ છે. કેલ્શિયમની સાથે બ્રોકોલીમાં મેગ્નેશિયમ, ઝીંક અને ફોસ્ફરસ જેવા અન્ય પોષક તત્વો પણ ભરપુર હોય છે. આ શાકભાજી બાળકો, વૃદ્ધો માટે ખૂબ જ યોગ્ય છે.

 

ત્વચાની સંભાળ એ ફક્ત ત્વચાની ગ્લોથી જ નથી પરંતુ તંદુરસ્ત રહેવું પણ મહત્વપૂર્ણ છે. એન્ટી ઓક્સીડેન્ટ, વિટામિન સી અને કોપર, ઝીંક જેવા ત્વચાને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તે ત્વચાને ચેપ લાગવાથી બચાવે છે અને ત્વચાની કુદરતી ગ્લોને પુનઃસ્થાપિત કરે છે. બ્રોકોલીમાં વિટામિન કે, એમિનો એસિડ્સ અને ફોલેટ ભરપૂર હોય છે. આ બધા તંદુરસ્ત ત્વચાની પ્રતિરક્ષામાં ફાળો આપે છે.

 

બ્રોકોલીમાં બીટા કેરોટિન, વિટામિન એ, ફોસ્ફરસ, વિટામિન બી કોમ્પ્લેક્ષ, વિટામિન સી અને ઈ શામેલ છે. આ તમામ સમૃદ્ધ પોષક તત્ત્વો તમારી આંખના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને આંખોને મોતિયા સામે રક્ષણ આપે છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article