ગળાની સમસ્યા માટે કારગર ઈલાજ છે મીઠાના પાણીના કોગળા

|

Oct 20, 2020 | 10:45 PM

મોસમ બદલવાથી ગળામાં ખરાશ અથવા તો અવાજ બેસી જવાની ફરિયાદો સામે આવે છે. ગળું ખરાબ થાય એટલે ગળામાં દુખાવો અથવા તો ગળામાં કફ જામી જાય છે અને ગળાનો અવાજ પણ બદલાઈ જાય છે. ગળું ખરાબ થાય ત્યારે મીઠાના પાણીના કોગળા કરવાથી ખૂબ જ મદદ મળે છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો […]

ગળાની સમસ્યા માટે કારગર ઈલાજ છે મીઠાના પાણીના કોગળા

Follow us on

મોસમ બદલવાથી ગળામાં ખરાશ અથવા તો અવાજ બેસી જવાની ફરિયાદો સામે આવે છે. ગળું ખરાબ થાય એટલે ગળામાં દુખાવો અથવા તો ગળામાં કફ જામી જાય છે અને ગળાનો અવાજ પણ બદલાઈ જાય છે. ગળું ખરાબ થાય ત્યારે મીઠાના પાણીના કોગળા કરવાથી ખૂબ જ મદદ મળે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મીઠું અને પાણીનું મિશ્રણ જીવાણુ માટે ખૂબ જ ખતરનાક હોય છે અને તેના પ્રભાવથી જીવાણુઓ મરી પણ જાય છે. જ્યારે કફ જમા થયો હોય ત્યારે કફને દૂર કરીને તેને બહાર કાઢવામાં મદદ કરશે અને એટલા માટે મીઠાના પાણીના કોગળા કરવાનું કહેવામાં આવે છે. પરંતુ કોગળા કરતી વખતે પાણી વધારે ગરમ ન હોય તે રીતે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાખીને તે પાણીથી કોગળા કરવા જોઇએ. તે પાણીમાં તમે ફટકડીનો ટુકડો પણ નાખી શકો છો જેનાથી તમને આરામ મળશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મીઠું સાથે ખાવાનો સોડા પણ બે ચપટી ભેળવીને કોગળા કરવાથી પણ આરામ મળે છે. મીઠું સાથે ગરમ પાણીમાં હળદર પણ ઉમેરી શકાય છે. તેનાથી ફાયદો થાય છે કારણ કે તેમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો ક્યાં તો ફટકડી નાંખવી જોઈએ અથવા તો ખાવાનો સોડા નાંખવો જોઈએ. મીઠુંની સાથે કોઈ પણ એક જ વસ્તુ નાખવી જોઈએ.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Next Article