ખાવાનું ખાય લીધા પછી અમુક લોકોને વિવિધ આદતો હોય છે જેના લીધે પોષણયુક્ત ભોજનના પાચન પર અસર પડે છે. આમ ખાવાનું ખાયને જો આ અમુક આદતોને કાબૂમાં ન કરવામાં આવે તો તેની અસર શરીરમાં થતી નથી અને યોગ્ય પોષકતત્ત્વો શરીરને મળતાં નથી.
ખાવાનું ખાઈને તરત સીગરેટ પીવાની આદત હોય તે ખતરનાક છે કારણ કે આ આદતથી સીધી જ અસર આપણાં શરીરમાં પાચનના કામમાં મદદરુપ આંતરડા પર થાય છે. આમ સીગરેટ પીવાથી કેન્સરનો ભય વધે છે અને ખાવાનું ખાધા પછી આ સીગરેટ પીવાના લીધે પાચનક્રિયામાં પણ અડચણ ઉભી થાય છે.
જાણવામાં આવી રહ્યું છે કે જે ચાના પાંદડાઓમાં અમુક પ્રકારનો એસિડ હોય છે જેના લીધે તરત જ ચા પીવાથી પાચનક્રિયામાં તકલીફ ઉભી થઈ શકે છે. સાચી રીતે ખાવાનું ખાધા પછી તરત જ તો ચાનું સેવન ના જ કરવું જોઈએ.
કહેવાય છે કે ફળો તો આપણાં શરીર માટે ફાયદાકારક છે અને ફળ ખાવાથી આપણાં શરીરમાં શું નુકસાન થઈ શકે? જો ખાવાનું ખાધા પછી અમુક પ્રકારના ફળ-ફળાદી ખાવાથી ગેસ, અપચો જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
ખાઈને તરત જ લોકો પોતાની પથારીમાં પડી જતાં હોય છે પણ તારણ એમ કહે છે જો ખાધા પછી તરત જ ઉંઘ લેવામાં આવે તો તેના લીધે પેટના આંતરડાઓમાં સંક્રમણ અને ગેસ થવાની શક્યતા રહેલી છે.
નહાવાથી તકલીફ ન હોઈ શકે પણ તારણ મુજબ જમવાનું લીધા પછી તરત જ જો નાહવામાં આવે તો તેના લીધે શરીરમાં જે પાચનરસ ઉત્પન્ન થાય છે તેમાં ઘટાડો થઈ જાય છે. આમ તરત જ ખાધા પછી નાહવામાં આવે તો પાચનક્રિયા ધીમી પડી શકે છે. આમ આ પાંચ આદતો પર કાબૂ ન રાખવામાં આવે તો ડૉક્ટરને ટૂંક સમયમાં મળવું પડે તો નવાઈ નહીં.
[yop_poll id=1357]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]