Zydus Cadila: કોરોનાનાં કપરા સમય વચ્ચે સારા સમાચાર એ આવી રહ્યા છે કે કોરોનાનાં હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટેની કારગર દવા વિરાફિન (Virafin)ને DCGI દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. જો કે આ દવા પુખ્ત વયના દર્દીઓની સારવારમાં પણ ઉપયોગમાં લેવાશે. મંજુરી મળી ગયા બાદ હવે આગામી ટૂંક સમયમાં બજારમાં તે ઉપલબ્ધ પણ થઈ જશે. જણાવી દઈએ કે વિરાફિન એક એન્ટિવાયરલ દવા છે જે વાયરસને મારે છે અને સંક્રમણમાંથી મુક્ત કરવામાં મહત્વનું કામ આપે છે.