Gujarati NewsGujaratYou will think twice before you keeping any valuables in you luggage if you are travelling by air
અમદાવાદની આ વ્યક્તિનો એક ઈન્ટરનેશનલ એરલાઇન્સ સાથેનો અનુભવ જાણ્યા પછી તમે ભાગ્યે જ બેગમાં કોઈ કિંમતી સામાન મૂકશો
સિંગાપોર એરલાઈન્સ કંપની આમ તો મુસાફરોને એક દેશથી અન્ય દેશોમાં પહોચાડવા માટે જાણીતી છે. પણ અમદાવાદના એક મુસાફર સાથે જે કિસ્સો બન્યો તે પછી કદાચ સિંગાપોર એરલાઈન્સમાં ચોરી અને બેદરકારી માટે પ્રખ્યાત થાય તો નવાઈ નહીં. સિંગાપોર એરલાઈન્સના મુસાફર સાથે એક કિસ્સો એવો બન્યો કે આખરે મુસાફરને એરલાઈન્સ કંપની સામે નોંધાવી પડી ફરિયાદ. સિંગાપોર એરલાઈન્સમાં […]
Follow us on
સિંગાપોર એરલાઈન્સ કંપની આમ તો મુસાફરોને એક દેશથી અન્ય દેશોમાં પહોચાડવા માટે જાણીતી છે. પણ અમદાવાદના એક મુસાફર સાથે જે કિસ્સો બન્યો તે પછી કદાચ સિંગાપોર એરલાઈન્સમાં ચોરી અને બેદરકારી માટે પ્રખ્યાત થાય તો નવાઈ નહીં. સિંગાપોર એરલાઈન્સના મુસાફર સાથે એક કિસ્સો એવો બન્યો કે આખરે મુસાફરને એરલાઈન્સ કંપની સામે નોંધાવી પડી ફરિયાદ.
સિંગાપોર એરલાઈન્સમાં અમદાવાદના એક મુસાફર તેમની 3 બેગના સામાન સાથે ઓસ્ટ્રેલિયા (સિડની)થી અમદાવાદ આવી રહ્યાં હતાં તે દરમિયાન એરપોર્ટ પરથી તેમનો સામાન ગુમ થયો. .મુસાફરની 3 બેગ ગુમ થતા સિંગાપોર એરલાઈન્સના સ્ટાફે મુસાફર પાસે દિલગીરી વ્યક્ત કરીને 2 દિવસમાં સામાન પહોચાડી આપવાની ખાતરી પણ આપી હતી. 2 દિવસ બાદ જ્યારે મુસાફરનો સામાન તો પરત આવ્યો પણ તેમાં રહેલો 1.25 લાખની કિંમતનો આઈફોન ગુમ હતો. પરત આવેલી બેગનું લોક પણ તૂટેલું હતું. તેમજ અન્ય બેગ પણ ફાટેલી હાલતમાં હતી. જેની મુસાફરે સિંગાપોર એરલાઈન્સને ઇ-મેઇલથી જાણ કરી.
15 દિવસ સુધી એરલાઈન્સ કંપની તરફથી કોઈ જવાબ ન આવતા મુસાફર દ્વારા સિંગાપોર એરલાઈન્સનો સંપર્ક કરતા આ પ્રકારની કોઈ ઘટના ન બની હોવાનો જવાબ સિંગાપોર એરલાઈન્સ તરફથી મળ્યો. જેને લઈને મુસાફર દ્વારા ખોવાયેલા મોબાઈલ ફોનને પરત મેળવવા માટે પોલીસ ફરિયાદ કરવામાં કરી.
સિંગાપોર એરલાઇન્સનો જવાબ
ખાનગી એરલાઈન્સ કંપનીઓ મુસાફરોને વઘુ સારી સુવિધાઓ આપવા માટે અધધધ રકમ વસૂલતી હોય છે પણ સુરક્ષા અને સલામતીના નામે મુસાફરોને કશું જ મળતું નથી હોતું. સિંગાપોર એરલાઈન્સમાં મુસાફરી કરનાર મુસાફરનો મોંઘો મોબાઈલ ગુમ થયા બાદ સિંગાપોર એરલાઈન્સના સ્ટાફે આવું કશું જ બન્યું નથી કહીને હાથ અધ્ધર કરી લીધા છે. ત્યારે હવાઈ મુસાફરી કરતા મુસાફરોના સામાનની સલામતીને લઈને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા આવી ગેરરીતિ આચરતી ખાનગી એરલાઇન્સ કંપનીઓ સામે પગલાં લે તે જરૂરી છે.