
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા 15 દિવસમાં જ પાણીજન્ય રોગોના 1500 જેટલા કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. રોગચાળાના આંકડાની વાત કરીએ તો કોલેરાના 4 અને ઝાડા-ઉલ્ટીના 670 કેસ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જ્યારે કમળાના 150 અને ટાઈફોઈડના 347 કેસ નોંધાયા છે, ત્યારે મેલેરિયાના 177, ઝેરી મેલેરિયાના 10 કેસ અને ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે. હજુ તો શહેરમાં ચોમાસાની સત્તાવાર રીતે શરૂઆત પણ નથી થઈ ત્યાં જ રોગચાળાના આંકડામાં વધારો થઈ રહ્યો છે. તેમ છતાં કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી હલતુ ન હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે ચોમાસામાં શહેરની સ્થિતિ શું થશે તે એક મોટો સવાલ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો