Vastu Tips: શું તમારા લગ્નમાં આવે છે વિઘ્નો? અપનાવો આ ઉપાય

ઘરની દશાથી જોડાયેલી નાની નાની ચીજોમાં સુધારા કરીને લગ્નમાં થવામાં આવતી અડચણો દૂર કરી શકો છો. નેગેટિવ ચીજોની અસર આપણા જીવન પર પણ પડે છે.

Vastu Tips: શું તમારા લગ્નમાં આવે છે વિઘ્નો? અપનાવો આ ઉપાય
Vastu Tips
| Edited By: | Updated on: Jan 18, 2021 | 7:27 AM

વાસ્તુકારના જાણકારો પ્રમાણે તામારી આસપાસની ચીજોનો સારો કે ખરાબ પ્રભાવ તમારી પર પડતો હોય છે. વાસ્તુશાસ્ત્રનું માનીયે તો પોઝીટીવ કે નેગેટિવ ચીજોની અસર આપણા જીવન પર પણ પડે છે. જો લગ્ન થવામાં મોડું થતું  હોય તો માતા -પિતાની ચિંતાઓ વધી જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ વસ્તુ દોષના કારણે લગ્નમાં થવામાં કોઈ વિઘ્ન આવતું હોય છે. એવામાં ઘરની દશાથી જોડાયેલી નાની નાની ચીજોમાં સુધારા કરીને લગ્નમાં થવામાં આવતી અડચણો દૂરકારી શકો છો. ચાલો જાણીએ વાસ્તુ દોષથી થતી મુશ્કેલીઓને કઈ રીતે દૂર કરી શકાય છે.

વાસ્તુ પ્રમાણે જે છોકરા-છોકરીના લગ્ન થવામાં મુશ્કેલીઓ આવે છે તેને દક્ષિણ દિશા તરફ પગ રાખીને ના સૂવું જોઈએ. આમ કરવાથી કોઈ સારા માંગા આવતા નથી અને કોઈને કોઈ મુશ્કેલીઓ આવતી જ રહે છે. આવા લોકો ઉત્તરની બાજુએ પગ રાખીને સૂવું જોઈએ. બને ત્યાં સુધી કાળા કપડા પહેરવાથી દૂર રહેવું જોઈએ. આવા લોકો લાલ-પીળા કપડાં પહેરી શકે છે. કાળો રંગ શનિ, રાહુ અને કેતુને દર્શાવે છે. જ્યારે પણ લગ્નની વાત કરવા માટે સબંધીઓ જોવા આવે તો લાળ અથવા તો પીળા રંગના કપડા પહેરવા જોઈએ. આમ કરવાથી તમારા લગ્નની વાત પક્કી થઈ જશે.

જે લોકોના લગ્ન સબંધમાં વિઘ્નો આવે છે તેને બંધ બારીઓ તેમજ દરવાજા વાળા ઓરડાઓમાં ના સૂવું જોઈએ. જે રૂમમાં સૌથી વધુ અંધારું હોય ત્યાં પણ ના સૂવું જોઈએ. શક્ય હોય તો ઘરની દિવાલોને ગુલાબી અથવા પીળા રંગથી રંગી દેવી જોઈએ.

 

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ આવતીકાલથી મહાજનસંપર્ક અભિયાનની કરશે શરૂઆત

Published On - 7:25 am, Mon, 18 January 21