VADODARA : નવા પ્રધાનમંડળ અંગે સીનીયરોમાં નારાજગી વિશે નવા વનમંત્રીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

|

Sep 17, 2021 | 4:39 PM

આજે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને અનુલક્ષીને વડોદરામાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં રાજ્યના નવા વન અને પર્યાવરણ મંત્રી કિરીટ સિંહ રાણાએ ભાગ લીધો હતો.

VADODARA : આજે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસે (Namo@71) રાજ્ય સહીત દેશભરમાં મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યના 8 મહાનગરો સહીત તમામ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ માટે રસીકરણ કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. વડાપ્રધાન જન્મદિવસને અનુલક્ષીને વડોદરામાં 16 સપ્ટેમ્બરે ગુરૂવાર રાત્રે જ વેક્સીનેશન સેન્ટરનો પ્રારંભ થઇ ગયો હતો. વડોદરામાં રાત્રે બે સ્થળોરેલવે સ્ટેશન અને મેન્ટલ હોસ્પિટલ ખાતે વેક્સીનેશન સેન્ટરનો પ્રારંભ થયો હતો. અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં પ્રારંભ થયેલા વેક્સિનેશન સેન્ટરમાં અનેક લોકોએ કોરોના રસી લીધી.

વન અને પર્યાવરણ મંત્રી કિરીટ સિંહ રાણા વડોદરા શહેરની મુલાકાતે છે. આજે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને અનુલક્ષીને વડોદરામાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં રાજ્યના નવા વન અને પર્યાવરણ મંત્રી કિરીટ સિંહ રાણાએ ભાગ લીધો હતો. તેમણે વડોદરાની મેન્ટલ હોસ્પિટલ ખાતેના રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે મહાત્માગાંધી નગરગૃહ ખાતેના કાર્યક્રમ ખાતેના સંબોધન કર્યું હતું.

પોતાના સંબોધનમાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટ સિંહ રાણાએ કોઈ ને નારાજગી નહીં રાખવાની સૂચક ટકોર કરી હતી, જો કે સ્પીચ માં કરેલી સૂચક ટકોર અંગેના પ્રશ્ન માટે બોલવાનું ટાળ્યું હતું. તેમણે વન અને પર્યાવરણ વિભાગને વધુ ગતિશીલ બનાવવાનો નિર્ધાર કર્યો હતો.

આ પણ વાંચો : NARMADA : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 19 સેમીનો વધારો, રૂલ લેવલથી માત્ર 86 સે.મી દૂર

આ પણ વાંચો : Gujarat : મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે મેગા ડ્રાઈવ, બપોર સુધીમાં 10 લાખ લોકોએ રસી લીધી

Next Video