VADODARAની મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MS UNI)માં કોમર્સ ફેકલ્ટીનો અભ્યાસક્રમ ઘટાડવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ABVPના નેતાનું કહેવું છે કે ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને પૂરેપૂરું જ્ઞાન મળ્યું નથી.જેથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં મુશ્કેલી પડશે તેવી ફરિયાદો મળી છે.
MS UNIમાં કોમર્સ ફેકલ્ટીનો અભ્યાસક્રમ ઘટાડવા માટે ABVPએ અગાઉ ત્રણ ત્રણ વાર રજૂઆત કરી છે. આમ છતાં કોઈ ઉકેલ ન આવતા ABVPએ માનવસાંકળ રચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ સાથે જ ABVPએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં કોમર્સ ફેકલ્ટીનો કોર્સ ઘટાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.