VADODARA : પાદરામાં વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણમાં વધારો નોંધાયો છે. પાદરા તાલુકાના સરસવણી અને લતીપુરા ગામની શાળાના આચાર્યને કોરોના થયો છે. તો કૂરાલ, ધોરીવગા, વડદરા, જાનકી વલ્લભ શાળામાં શિક્ષકોને કોરોના થયો છે. આમ, કુલ પાંચ પ્રાથમિક શાળામાં 5 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે.