Vadodara : ભાયલી વિસ્તારમાં રહેતા રહીશોએ અશાંતધારાના નિયમો લાગુ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે.વડોદરા શહેર કોર્પોરેશનમાં હાલમાં જ સમાવિષ્ટ થયેલ ભાયલીમાં ટીપી નંબર 1થી 5 સુધીના વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા સરકારી આવાસ યોજના હેઠળ વિધર્મીઓને આવાસોની ફાળવણી કરવામાં આવી છે. જેના કારણે વિસ્તારના રહીશો ભાયલી વિસ્તારમાં કાયમી ધોરણે સુખ, શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવી માંગ સાથે અશાંતધારો લાગુ કરવાની માંગ કરી છે.