VADODARA : 27 વર્ષથી અકસ્માત ગ્રસ્ત સુનિલ ભાઈ દેસાઈએ વહીલચેર પર આવીને મતદાન કર્યું છે. 27 વર્ષ પૂર્વે રાજકોટ લીંબડી રોડ પર થયેલા અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતમાં શરીરના તમામ મણકા તૂટી ગયા હોવાથી તેઓ હરીફરી શકતા નથી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. 27 વર્ષથી દરેક ચૂંટણીમાં કોઈપણ ભોગે મતદાન કરવા પહોંચી જાય છે. અગાઉ ટેમ્પોમાં મતદાન કરવા આવતા હતા. હવે જાતે જ ઇલેક્ટ્રિક વહીલચેરમાં મતદાન કરવા પહોંચે છે.
Published On - 2:34 pm, Sun, 21 February 21