
અમદાવાદના સાણંદ તાલુકામાં ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. અહીં આભમાંથી એવી આફત વરસી કે ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. તાલુકામાં એરંડા અને ઘઉંના પાકને 60થી 70 ટકા નુક્સાન થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઘઉંનો પાક લણવા માટે તૈયાર હતો. ઝોલાપુર ગામમાં ખેડૂતોએ કાપણીની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. પરંતુ તેવા સમયે જ માવઠું પડતાં ખેડૂતોના સારા ભાવ મળવાની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. ત્યારે ખેડૂતોએ સર્વે કરીને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. અગાઉ ડાંગરનો પાક પણ નિષ્ફળ ગયો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં મોટા આતંકી હુમલાની ચેતવણી, HM અમિત શાહ, CM રૂપાણી પર હુમલાની ધમકી