કેન્દ્રીય ગૃહમંત્રાલયે આવતીકાલથી સિનેમા હોલમાં 100 ટકા દર્શકોની ક્ષમતા સાથે થિયેટરોને સંચાલિત કરવાની મંજૂરી આપી છે. ત્યારે હવે આ અંગે સૂચના અને પ્રસારણ મંત્રાલયે સિનેમા હોલ અને થિયેટરો માટે SOP બહાર પાડી છે. સિનેમા હોલ અને થિયેટરોમાં સંક્રમણને અટકાવવા માટે જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇનની મુખ્ય વાતો પર નજર કરીએ. માસ્ક પહેરવા અને તાપમાન તપાસ અનિવાર્ય હોવા ઉપરાંત, સિનેમાઘરોમાં અલગ સીટ, સામાજિક અંતર અને ડિજિટલ ચૂકવણીનો સમાવેશ થાય છે.