ગૃહમંત્રી અમિત શાહે (AMIT SHAH) આજે ઉતરાયણ પર્વે ભગવાન જગન્નાથના મંદિરમાં દર્શન કર્યા. અને સહપરિવાર અમિત શાહે ભગવાન જગન્નાથની વિધિવત્ પૂજા અર્ચના કરી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા માટે અમદાવાદ આવ્યા છે. આ પ્રસંગ નિમિતે આજે અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શનનો લાહવો લીધો હતો. અમિત શાહ પૌત્રીનો હાથ પકડીને મંદિરમાં પ્રવેશ્યા હતા અને વિધિવત્ ભગવાનની પૂજા કરી હતી. અને શીશ ઝુકાવીને ભગવાનનાં આશીર્વાદ લીધા હતા.
Published On - 1:18 pm, Thu, 14 January 21