Mehsanaમાં બહુચરાજી-હારીજ રોડ ઉબડ-ખાબડ છે. વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ રસ્તાનું સમારકામ કરવાની માગ બુલંદ થઈ છે.કૉંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરે બે જ દિવસમાં સમારકામ ચાલુ કરવાની માગ કરી છે. જો બે દિવસમાં રોડનું સમારકામ નહીં થાય તો ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભરતજી ઠાકોરે કહ્યું કે- 2 દિવસમાં રોડનું સમારકામ નહીં થાય તો આસપાસના 15થી વધુ ગામના લોકો રોડ ચક્કાજામ કરીને ધરણા પર બેસશે.તેમનો આક્ષેપ છે કે રોડ ગેરંટીની સમયમર્યાદામાં હોવા છતાં કોન્ટ્રાક્ટ જવાબદારી લેવા તૈયાર નથી.કોઈ અધિકારીઓ પણ જવાબદારી લેવા તૈયાર નથી.