
સુરતમાં એકતરફ કોરોના અટકવાનું નામ નથી લઈ રહ્યો અને બીજી તરફ ખાવાના શોખીન સુરતીઓને જીવ કરતા પાણીપુરી વ્હાલી છે. સરકાર અને સ્થાનિક તંત્ર વારંવાર કોરોનાને લઈને સુરક્ષાનું માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે છતા જીંદગી અને અન્યનાં જીવન પરત્વે લાપરવાહ બનેલા લોકો પાણીપુરીની લારી પર મોટી સંખ્યામાં ભીડ જમાવીને જોવા મળ્યા. ઘટના સુરતનાં લિંબાયત સંજયનગર વિસ્તારની છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પાણીપુરી ખાવા માટે ભેગા થઈ જતા સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા હતા. કોઈ પણ જાતનાં નિયમોનાં પાલન વગર આટલી મોટી સંખ્યામાં ભીડ જમા થઈ જતા તંત્ર માટે આ પડકારજનક સ્થિતિનું નિર્માણ થયું છે અને આવા લોકો સામે કડક પગલા ભરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
Published On - 3:58 pm, Tue, 4 August 20