Surendranagar : મીઠાના રણમાં પાણીની સમસ્યા, અગરિયાઓ આ રીતે કરે છે પીવાના પાણીનો સંગ્રહ

|

Jun 06, 2021 | 10:05 AM

Surendranagar : સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓને (Salt Workers) પીવાના પાણીની તંગીનો સામનો કરવો પડે છે.

Surendranagar : સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓને (Salt Workers) પીવાના પાણીની તંગીનો સામનો કરવો પડે છે. પરંતુ અગરિયાઓ પીવાના પાણીનો અનોખી રીતે સંગ્રહ કરે છે. ચોમાસાના ચાર મહિના બાદ નવી સીઝન શરૂ થતા અગરીયાઓ આ પોતાની કોઠા સુઝબુઝથી રણમાં ચાર મહિના સંગ્રહ કરેલ પાણીનો ઉપયોગ પીવા માટે કરશે.

રણમાં પેઢીઓથી મીઠુ પકવતા અગરીયાઓ ગરીબ અને પછાત ઘણી દારૂણ પરીસ્તિથીમાં જીવે છે, પરંતુ રણમાં અગરીયાઓ મીઠાની સીઝન પુરી થતા ચોમાસા દરમિયાન રણ આખું વરસાદના પાણીથી ભરાઇ જાય છે અને મીની બેટમાં ફેરવાઇ જાય છે અને રણનું પાણી દરીયાઇ માર્ગે ધીમે ધીમે ચોમાસા બાદ ખાલી થતુ હોઇ છે.

એવા સમય દરમિયાન નવી સીઝન માટે અગરીયાઓ રણમાં પાટા બનાવવા અને મીંઠુ પકવતા જતા હોઇ છે. તે સમયે તંત્ર તરફથી પીવાના પાણીના ટેન્કરો નથી જતા કારણકે કાદવ કીચડને લીધે રસ્તાઓ બંધ હોઇ છે. ત્યારે અગરીયાઓ માટે રણમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન છે. પીવાનું પાણી રણમાં માટે વલખા મારવા પડે છે.

સીઝનની શરૂઆતમાં રણમાં ચારે બાજુ કાદવ કીચડ હોઇ છે જેથી અગરીયાઓને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. કાદવ કીચડ ખૂંદીને 15 કીમી દુર સુધી પીવાનું પાણી ભરવા જવુ પડે છે. આ સમયે પીવાના પાણીની સમસ્યાઓ ન સર્જાય અને સીઝન દરમિયાન પીવાનું પાણી મળી રહે તે માટે અગરીયાઓ આગોતરૂ આયોજન કરે છે.

સીઝન પુર્ણ થતા અગરીયાઓ રણમાં પ્લાસ્ટીકની મોટી થેલીઓ જમીનમાં ખાડાઓ કરી અને ફુગ્ગા બનાવી જમીનમાં ઉતારી અને પાણી ભરી સંગ્રહ કરે છે અને આ પાણીમાં અગરીયાઓ ખાવાનો ચુનો નાખે છે જેથી આ પાણી ચાર મહિના બગડે નહિ. ત્યારબાદ સરસામાન લઈ ચોમાસા દરમિયાન પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરે છે.

ચાર મહિના બાદ નવી સીઝન દરમિયાન રણમાં જઈ નવા પાટા બનાવી અને ફરી કાળી મજુરી કરી સફેદ મીંઠુ પકવવા અગરીયાઓ લાગી જતા હોઇ છે, પરંતુ પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે ચાર મહિના પહેલા જમીનમાં દાટી અને રાખેલ પાણી પીવાનો ઉપયોગ કરે છે.

Next Video