સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા તાલુકાના આસપાસના વિસ્તારમાં મોટા પાયે લાલ મરચાની ખેતી ખેડુતો કરે છે. હાલ ઝાકળ અને માવઠાને લીધે ખેડુતોએ વાવણી કરેલ લાલ તીખા મરચાનો પાક પચાસ ટકા નિષ્ફળ જતા હાલ ચુડાના મરચાનો ભાવ ઉચકાયો છે ને વેપારીઓ પણ ઉચા ભાવને લીધે ગ્રાહકો વગર બેઠા છે. મરચાની ખેતી કરતા ખેડુતોને પણ ચાલુ વર્ષે પચાસ ટકા પાક નિષ્ફળ જતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.