Surendranagar : સી.યુ.શાહ હોસ્પિટલના કર્મચારીઓમાં નારાજગી, પડતર પ્રશ્નોના ઉકેલની માગ

|

Mar 08, 2021 | 1:54 PM

Surendranagar : હોસ્પિટલના વર્ગ 3 અને 4ના કર્મીઓએ વિરોધ દર્શાવ્યો છે. સી.યુ. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના કર્મચારીઓએ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા વિરોધ વ્યક્ત કર્યો છે.

Surendranagar : હોસ્પિટલના વર્ગ 3 અને 4ના કર્મીઓએ વિરોધ દર્શાવ્યો છે. સી.યુ. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના કર્મચારીઓએ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા વિરોધ વ્યક્ત કર્યો છે. દસાડાના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીની ઉપસ્થિતિમાં 200 જેટલા કર્મચારીઓએ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને રોષ વ્યક્ત કર્યો. આ તમામ કર્મચારીઓ આઉટ સોર્સિંગના છે. તેમની માંગ છે કે કાયમી કરવામાં આવે અને પગાર વધારવામાં આવે. જો આગામી સમયમાં તેમની માંગો નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 

Next Video