SURENDRANAGAR : ધ્રાંગધ્રા-હળવદ રોડ પર ST બસ-કાર વચ્ચે અકસ્માત, 3ના મૃત્યુ

|

Jan 24, 2021 | 9:48 PM

SURENDRANAGARમાં ધ્રાંગધ્રા રોડ પર કારના ફૂરચે-ફૂરચા ઊડી ગયા હતા. અકસ્માતના કારણે રોડ પર ઘણો ટ્રાફિક જામ થયો હતો.

SURENDRANAGAR : ધ્રાંગધ્રા-હળવદ રોડ પર ST બસ-કાર વચ્ચે અકસ્માત, 3ના મૃત્યુ

Follow us on

SURENDRANAGARમાં ધ્રાંગધ્રા-હળવદ રોડ પર સોલંડી ટોલનાકા પાસે STબસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા જયારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

SURENDRANAGARમાં ધ્રાંગધ્રા-હળવદ રોડ પર સર્જાયેલો આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારના ફૂરચે-ફૂરચા ઊડી ગયા હતા. અકસ્માતના કારણે ધાંગધ્રા-હળવદ રોડ પર ઘણો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Published On - 9:41 pm, Sun, 24 January 21

Next Article