સુરતમાં આમ આદમી પાર્ટીમાં બાર સાંધે તેર તૂટે જેવો ઘાટ, રજુઆત કરવા જતા વચ્ચેથી પણ 8 કોર્પોરેટરો ગાયબ !

|

Feb 10, 2022 | 10:04 AM

વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ રજૂઆત વેળા ગેરહાજર રહેલા કોર્પોરેટરો પાસે ખુલાસો માંગ્યો હતો . જેમાં વોર્ડ નં . 4 કાપોદ્રા - હીરાબાગના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ મોટરસાઇકલમાં પંક્ચર પડ્યું હોવાનો બોડો ખુલાસો કર્યો હતો . થોડા દિવસો અગાઉ કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ ભાજપ તરફથી ફોન આવ્યો હોવાનો દાવો કર્યો હતો . હવે ગણતરીના દિવસોમાં જ તેમનો સૂર બદલાયો છે .

સુરતમાં આમ આદમી પાર્ટીમાં બાર સાંધે તેર તૂટે જેવો ઘાટ, રજુઆત કરવા જતા વચ્ચેથી પણ 8 કોર્પોરેટરો ગાયબ !
Thus many arguments in the Aadmi Party about the disappearance of corporators(File Image )

Follow us on

આમ આદમી પાર્ટીમાં (AAP) બાર સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ થઇ ચૂકી છે . બુધવારે આપનું ઝાડુ છોડી ભગવો ધારણ કરનારા પાંચેય કોર્પોરેટરોનું(Councilor ) સભ્યપદ રદ કરવા પાલિકામાં(SMC)  થયેલી રજૂઆત વખતે વધુ આઠ કોર્પોરેટરો ગાયબ જણાયા હતા . કેટલાકે સામાજિક તો કેટલાકે પારિવારિક કામ હોવાનો વિપક્ષી નેતા સમક્ષ ખુલાસો કર્યો હતો .

આમ આદમી પાર્ટીના દંડક ભાવના સોલંકી , જયોતિકા લાઠિયા , મનીષા કુકડિયા , ઋતા દુધાગરા અને વિપુલ મોવલિયાએ ગયા અઠવાડિયે આપ સાથે છેડો ફાડ્યો હતો . આપ દ્વારા તેમને ગદ્દાર ઘોષિત કરાયા છે . હવે તેમનું સભ્યપદ રદ થાય તે માટે આપના કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાનીને લેખિત રજૂઆત કરવા આપના નગરસેવકો એકઠા થયા હતા .

ઘનશ્યામ મકવાણાની બાઇકમાં પંક્ચર પડ્યું .. !
વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ રજૂઆત વેળા ગેરહાજર રહેલા કોર્પોરેટરો પાસે ખુલાસો માંગ્યો હતો . જેમાં વોર્ડ નં . 4 કાપોદ્રા – હીરાબાગના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ મોટરસાઇકલમાં પંક્ચર પડ્યું હોવાનો બોડો ખુલાસો કર્યો હતો . થોડા દિવસો અગાઉ કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ ભાજપ તરફથી ફોન આવ્યો હોવાનો દાવો કર્યો હતો . હવે ગણતરીના દિવસોમાં જ તેમનો સૂર બદલાયો છે . એકાએક બાઇકમાં પંકચર પડ્યું હોવાથી ગેરહાજર હોવાનું જણાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોના ગળે વાત ઊતરી ન હતી . આ સાથે અનેક અટકળો તેજ બની હતી .

લગ્નના 9 વર્ષ બાદ દિવ્યાંકાના છૂટાછેડા? જાણો પતિએ શું કહ્યું
સાસુ-વહુ વચ્ચે ઝગડા થાય છે તો આ કરો ઉપાય, પરસ્પર પ્રેમ વધશે!
રસોઈ માટે આ તેલ છે બેસ્ટ, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
એક AC કેટલા વર્ષ સુધી વાપરી શકાય? ક્યારે બદલવું યોગ્ય છે, જાણો અહીં
તુલસીના છોડ પાસે કેમ દીવો પ્રગટાવવામાં આવે છે? જાણો કારણ
આજનું રાશિફળ તારીખ : 17-04-2025

ડેપ્યુટી કમિશનરને પાંચેય પક્ષપલટું કોર્પોરેટરો વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી . તમામ પાંચેય કોર્પોરેટરોના સભ્યપદ રદ થાય તે માટે આપના બાકી રહેલા 22 કોર્પોરેટરોને પાલિકા કચેરીએ હાજર રહેવા કહેવાયું હતું . 22 પૈકી 14 નગરસેવક જ પાલિકામાં હાજર રહ્યા હતા . આઠ કોર્પોરેટરો એક યા બીજા કારણોસર હાજર નહીં રહી શક્યા હોવાનું જાણવા મળ્યું હતું .

આ પૈકી કેટલાકે પારિવારિક પ્રસંગમાં તો કેટલાકે સામાજિક પ્રસંગમાં  હાજરી આપવી અનિવાર્ય હોય ગેરહાજર રહ્યા હોવાનો ખુલાસો કર્યો  હતો . એકસાથે આઠ કોર્પોરેટરોની  ગેરહાજરી વચ્ચે ફરી એક વખત આપના કોર્પોરેટરોની રાજકીય ગુલાંટીને નવી હવા મળી હતી . ઉલ્લેખનીય છે કે આગામી સપ્તાહે પાલિકામાં બજેટની બોર્ડ મળી રહી છે જેમાં પાટલીબદલું આપના પાંચ કોર્પોરેટરો ભાજપની પંગતમાં સામેલ થશે , આ સાથે સૌ પ્રથમવાર આપના કોર્પોરેટરોનો સામનો કરશે .

આ પણ વાંચો :

Surat : કોરોના છતાં સુરતમાંથી નિકાસ 4 વર્ષમાં 7 હજાર કરોડથી વધીને 18 હજાર કરોડ થઇ, અમેરિકા, યુરોપના દેશોમાં કાપડ હીરાની માગ સૌથી વધારે

લતાજીને રંગોથી શ્રદ્ધાંજલિ: સુરતના રંગોળી આર્ટિસ્ટ દ્વારા 19 કલાકની મહેનતની બાદ તૈયાર કરાયું આ આર્ટ