GST વધારા મુદ્દે વેપારીઓ આકરા પાણીએ: સુરત ટેકસટાઇલ માર્કેટ 30 ડિસેમ્બરે બંધ રાખવાની જાહેરાત, કરોડોના નુકસાનની ભીતિ

|

Dec 29, 2021 | 12:33 PM

કેન્દ્ર સરકાર દ્વારા કાપડના GST દરમાં વધારો કરવાના વિરોધમાં 30 તારીખે કાપડ માર્કેટ બંધ રહેશે. સુરત ફોસ્ટાએ કાપડ માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી છે.

GST વધારા મુદ્દે વેપારીઓ આકરા પાણીએ: સુરત ટેકસટાઇલ માર્કેટ 30 ડિસેમ્બરે બંધ રાખવાની જાહેરાત, કરોડોના નુકસાનની ભીતિ
Surat textile market will be closed on December 30 in protest of GST rate hike

Follow us on

Surat GST Protest: સુરતમાં હવે કાપડ પર જીએસટી પાંચ ટકાથી વધારી 12 ટકા કરવા સામે વેપારીઓ એકજુથ થઈને વિરોધ કરવા રણનીતિ બનાવી રહ્યા છે. તારીખ 30 ડિસેમ્બરના રોજ વેપારીઓ હવે સજ્જડ બંધ રાખીને વિરોધ પણ વ્યક્ત કરવાના છે. આ પહેલા વેપારીઓ કાળી પટ્ટી બાંધીને થાળીઓ વગાડીને વિરોધ દર્શાવવાના હતા. પણ શહેરમાં 144 કલમ લાગુ હોવાથી, ચારથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ હોવાથી હવે વેપારીઓએ રણનીતિ બદલી છે. પહેલી જાન્યુઆરીએ જીએસટીનો (GST Rate) દર વધે તે પહેલાં સરકારના કાન ખોલવા વેપાર ધંધા બંધ રાખીને વિરોધ કરવાનું નક્કી કર્યું છે.

વેપારીઓને થશે કરોડોનું નુકશાન : ફોસ્ટા

મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇન પર જીએસટીનો દર 5 ટકાથી વધારી 12 ટકા કરવા મામલે માત્ર સુરતના નહીં પરંતુ દેશભરના કાપડના વેપારીઓ અને પાવરલૂમ કારખાનેદારો નારાજ થયા છે. વિવર્સથી 650 કરોડની ક્રેડિટ 12 ટકાના દર સાથે જતી રહે છે. એટલુ જ નહીં તેમના કેલ્કયુલેશન પ્રમાણે વર્ષે વિવિંગ ઉદ્યોગને 1600 કરોડનું જ્યારે કાપડના વેપારીઓને 2200 કરોડનું નુકસાન થશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી હતી .

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વેપારીઓના હિતમાં નિર્ણય લેવાશે : દર્શના જરદોશ

કેન્દ્રના ટેક્સટાઇલ રાજય મંત્રી દર્શના જરદોશ જણાવ્યું હતું કે , સુરતના વિવર્સો અને કાપડના વેપારીઓની જીએસટીના સ્લેબને લગતી લાગણી અમે નાણામંત્રી નિર્મલા સિતારમણ સુધી પહોંચાડી છે. કેન્દ્ર સરકારે હંમેશા સુરતના કાપડ ઉધોગનું અગાઉ પણ હિત જોયું છે. અને ભવિષ્યમાં પણ વેપારીઓનું હિત જોશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીના જણાવ્યા પ્રમાણે કાપડ ઉદ્યોગ સાથે 35 કરોડ કામદારો સીધા અને આડકતરી રીતે સંકળાયેલા છે. જેમાંથી મોટાભાગની મહિલાઓ છે જેઓને સીધી અસર થશે. દેશમાં 5 લાખ ઓટોમેટિક લૂમ્સ છે, જેમાંથી 50 ટકા સુરતના છે. જેના કારણે આ નિર્ણયની વિપરીત અસર થશે.

તેમણે ઉમેર્યું હતું કે જીએસટીનો દર વધવાથી છેલ્લું ભારણ ગ્રાહક પર જ આવશે. એકબાજુ સરકાર મોંઘવારી ઘટાડવાના પ્રયત્નો કરી રહી છે. ત્યાં જીએસટી વધવાથી લોકોને કપડા ખરીદવા પણ મોંઘા બનશે. જીએસટી આવવાથી સાડી અને ડ્રેસ મટિરિયલ્સની કિંમતોમાં પણ 15 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધીનો વધારો જોવા મળશે.

 

આ પણ વાંચો: Surat: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર હેવાનને અપાશે ફાંસીની સજા? આજે કોર્ટ સંભળાવશે ચુકાદો

આ પણ વાંચો: સ્માર્ટસિટી કે ‘ખાડા-સિટી’? ગુજરાતના આ શહેરના રસ્તાઓની હાલત દયનીય, લોકોને ક્યારે મળશે સારા રસ્તાનું સુખ?

Next Article