લો બોલો, સુરતમાં 1.65 લાખ નળના જોડાણ ગેરકાયદેસર છે, હવે મનપા તેને કાયદેસર કરવા મથે છે

|

Aug 01, 2021 | 2:55 PM

સુરતમાં ગેરકાયદે નળ કનેક્શન ધરાવનારાઓ હવે 1100 રૂપિયા આપીને નળ કનેક્શન કાયદેસર કરાવી શકશે.

લો બોલો, સુરતમાં 1.65 લાખ નળના જોડાણ ગેરકાયદેસર છે, હવે મનપા તેને કાયદેસર કરવા મથે છે
Surat: The municipality will bring 1.65 lakh illegal tap connections in Surat

Follow us on

સુરતમાં (surat )કુલ 1.65 લાખ પાણીના કનેક્શન(tap  connection ) ગેરકાયદેસર છે. હવે તેને કાયદેસર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ભાજપના એક ધારાસભ્ય દ્વારા આ અંગે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યા છે. અને હવે આ કેસમાં મનપા કમિશનરે ગંભીરતા દાખવીને એવા વ્યક્તિઓનું લિસ્ટ તૈયાર કર્યું છે જેમની પાસે ગેરકાયદેસર(illegal)  નળ કનેક્શન હોય.

હવે તેના કારણે લોકોને રાહત પણ થઇ જશે. કારણ કે ગેરકાયદેસર નળ ક્નેક્શનનને હવે 1100 રૂપિયા આપીને કાયદેસર કરવામાં આવશે. જેના માટે લોકોએ પોતાના ઝોન ઓફિસમાં જઈને ફોર્મ ભરીને આ નળ કનેક્શનને કાયદેસર કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. એક મહિના પહેલા પાણીના કનેક્શન માટે 1500 રૂપિયા લેવામાં આવતા હતા. મનપાનું કહેવું છે કે આ પગલાં પછી પણ જો કોઈ ગેરકાયદેસર નળ કનેક્શન પકડાય છે હવે 5 હજાર રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવશે. સુરત મનપાના આ પગલાંથી પાલિકાની કચેરીમાં 18 કરોડ કરતા પણ વધુની રકમ જમા થશે.

ત્યાં જ બીજી તરફ લોકોની જાગૃતતાના અભાવે સુરતમાં ગેરકાયદેસર નળ જોડાણ વધ્યા છે. કારણ કે મોટાભાગના લોકોને ખબર પણ નથી કે તેમનું નળ કનેક્શન કાયદેસર છે કે ગેરકાયદેસર. નોંધનીય છે કે સુરતના કેટલાક ઘરોમાં તો 10 વર્ષ કરતા પણ વધુ સમયથી ગેરકાયદેસર કનેક્શન છે. આગામી 3 ઓગસ્ટ મળનારી સંકલનની બેઠકમાં આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સુરતમાં 1.65 લાખ લોકોનું નળકનેક્શન ગેરકાયદે :
જે લોકોએ કોઈપણ અરજી આપ્યા વગર ગેરકાયદેસર કનેક્શન લીધું છે. અથવા તો કોઈ પ્લમ્બર દ્વારા આ ક્નેક્શનનું જોડાણ લીધું છે. તેને ગેરકાયદેસર માનવામાં આવશે. આવી રીતે શહેરમાં કુલ 1.65 હજાર નળ કનેક્શન છે જે ગેરકાયદેસર છે. જે લોકોના વેરા બિલમાં ફોર-4 લખેલું આવેલું છે તેમનું કનેક્શન ગેરકાયદેસર છે. જયારે જેમના વેરા બિલમાં ફોર-6 લખેલું છે તેમનું કનેક્શન કાયદેસર છે.

હવે 1100 રૂપિયા આપી કાયદેસર કનેક્શન કરી શકાશે 
મનપાએ આ ઠરાવને મંજૂરી આપી છે. જેમાં હવે એવા લોકોને નોટિસ આપીને જાણકારી આપવામાં આવહશે. અને હવે તેઓ પોતાના વિસ્તારની ઝોન ઓફિસમાં 1500ની જગ્યાએ 1100 રૂપિયા ભરીને નળ કનેક્શન કાયદેસર કરી શકાશે. જો મનપાની આ તૈયારી છતાં પણ કોઈ કાયદેસર કનેક્શન નથી કરાવતું તો તેમની પાસેથી 5 હજાર રૂપિયા દંડ લેવામાં આવશે.

Published On - 2:50 pm, Sun, 1 August 21

Next Article