Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી

|

Apr 03, 2022 | 10:33 AM

ગૃહમંત્રીએ  પાંચ મિનિટ જેટલા સમય સુધી આ યુવતી આપઘાત ન કરવા સમજાવી હતી અને ત્યાર બાદ આ યુવતીને પોલીસ સાથે મોકલી તેની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરાવી હતી.

Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી
Surat: People rescued a girl who was going to commit suicide, Harsh Sanghvi stopped the convoy and sent the girl to the police station

Follow us on

ગઈ રાતે સુરત (Surat)ના પાલ ઉમરા બ્રિજ પર એક યુવતી આપઘાત (Suicide) કરવા પહોંચી હતી. જોકે યુવતી તારી નદીમાં કુદે તે પહેલાં જ સ્થાનિક લોકોએ સમયસુચકવા વાપરીને યુવતીને બચાવી લીધી હતી. જોકે આ જ સમયે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) પણ યુવતીને લઈને પોતાનો કાફલો રોકાવી યુવતીને સમજાવવા પ્રયાસ કર્યો હતો. લાંબી સમજાવટ બાદ યુવતી થોડી શાંત થઈ હતી અને હર્ષ સંઘવીએ તેને પોલીસવાનમાં બેસાડી હતી અને તેને પોલીસ (Police) સ્ટેશન મોકલવા માટેની કામગીરી કરી હતી.

ગૃહમંત્રીનો કાફલો ઉમરા બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં  મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકો જોઈને ગૃહમંત્રીએ પોતાના કાફલો રોકાવી દીધો હતો. તેમણે તરત જ યુવતી પાસે જઈને તેને સમજાવી આપઘાત ન કરવા માટેનો જાણકારી આપી હતી. જોકે ગૃહમંત્રીએ  પાંચ મિનિટ જેટલા સમય સુધી આ યુવતી આપઘાત ન કરવા સમજાવી હતી અને ત્યાર બાદ આ યુવતીને પોલીસ સાથે મોકલી તેની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરાવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભૂતકાળમાં ગૃહમંત્રી બન્યા તે સમયે પણ સુરતના સરદાર બ્રિજ પરથી કોઈ વ્યક્તિ આપઘાત માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે પણ ગૃહમંત્રીએ પોતાનો કાફલો રોકાવી યુવકનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં નિષ્ફળ રહ્યા હતા ત્યારે આજની આ યુવતીને જીવ બચાવવામાં સફળ રહ્યા છે. સાથે સાથે તેને સમજાવી ઘરે મોકલવામાં પણ સફળ રહ્યા હતા. આમ હર્ષ સંઘવીએ પોતે ગુજરાતના એક જવાબદાર ગૃહમંત્રી હોવાની ફરજ નિભાવી હતી.

 


આ પણ વાંચોઃ Vadodara: છાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની દાદાગીરી, 14 વર્ષીય બાળકને બેહરમીપૂર્વક થપ્પડ, લાતોથી માર માર્યો

આ પણ વાંચોઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ 103.08 અને ડિઝલ 97.35 રૂપિયે લીટર પર પહોંચ્યું

Next Article