સુરતના(Surat ) વરાછા વિસ્તારમાં એક યુવકને દલાલોએ ફસાવીએ વલસાડમાં(Valsad ) યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્નના (Marriage )થોડા દિવસોમાં મહિલા ફરાર થઈ ગઈ હતી. જેથી યુવકે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે દલાલી કરાવનાર બે આરોપીઓને ઝડપી લઈને લુટેરી દુલ્હનને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરત ના લાભેશ્વર વિસ્તાર ફરસાણની દુકાન ચલાવતા ગૌતમ ભાઈ ધનેશા લગ્ન માટે એક યોગ્ય પાત્ર શોધી રહ્યા હતા. તે દરમ્યાન ત્યાં દલાલ અવારનવાર આવતા અને તેમને તથા તેમના પિતાને કહેતા હતા કે, તમારા દીકરાના લગ્ન કરવા હોય તો અમારા ધ્યાનમાં એક ઠેકાણું છે.ત્યારબાદ દલાલ દ્વારા એક દલાલ નો સંપર્ક કરી વલસાડ લગ્નનું નક્કી કર્યું હતું. આ લગ્ન વખતે દુલહનને અઢી લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. તથા 40 જોડી કપડા અને દાગીના આપ્યા હતા. લગ્ન બાદ થોડા દિવસ એ ગૌતમના ઘરે રોકાઈ હતી.
તે બાદમાં પીયર તેમના માતા ઘરે ફેરો કરવા લઈ ગયા હતા. જોકે થોડા દિવસે પરત ન આવતા ગૌતમ ભાઈ અને તેનો પરિવાર વલસાડ ગયા અને તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ લોકોએ ઘણા લોકોને ફસાવ્યા છે. જેથી તેને છેતરપીંડી થઇ હોવાનો અનુભવ થયો હતો અને તેમને પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદ લઈને તપાસ હાથ ધરી હતી.
પોલીસે બાતમીના આધારે હિતેશ ઉર્ફે રસિકભાઈ કાપડિયા અને ઘુઘાભાઇ ઉર્ફે દિનેશભાઈ કથડભાઈ કાછડ ને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બંને આરોપીઓએ સપના નામની મહિલા સાથે ગૌતમના લગ્ન કરાવ્યા હતા.પૂછપરછ માં માલુમ પડ્યું કે સપના ભીવંડી વિસ્તાર માં રહે છે જેથી પોલીસે સપના ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
સુરત શહેરની અંદર લૂંટેરી દુલ્હન ના કિસ્સા ધીરે ધીરે વધી રહ્યા છે અને જેમ લોકોને ખબર પડે તેમ એક પછી એક પોલીસ ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. કારણ કે કેટલાક લોકોને લગ્ન થતાં ન હોવાથી છોકરી અને તેના પરિવારને જાણ્યા વગર લગ્ન કરી દેતા હોય છે અને બાદમાં છેલ્લે તેઓને જ ભોગવવાનો વારો આવતો હોય છે.