surat: સુરતીઓ માટે રાહતના સમાચાર, જિલ્લામાં 100 દિવસ બાદ કોરોનાનાં કેસની સંખ્યા 100ની નીચે પહોંચી

|

Jun 11, 2021 | 10:36 AM

surat:  શહેર ગ્રામ્યમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 100 દિવસ બાદ 100થી અંદર માત્ર 89 જેટલા કેસો નોંધાયા છે.

surat: સુરતીઓ માટે રાહતના સમાચાર, જિલ્લામાં 100 દિવસ બાદ કોરોનાનાં કેસની સંખ્યા 100ની નીચે પહોંચી
સુરતમાં કેસમાં ઘટાડો

Follow us on

surat : કોરોનાના કેસમાં(corona case)  દિનપ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. શહેર ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 100 દિવસ બાદ 100થી અંદર માત્ર 89 જેટલા કેસો નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 1,42,319 કેસ નોંધાયા છે. તમામ ઝોનમાં કોરોનાના 15 થી ઓછા કેસ નોંધાયા છે. શહેર ગ્રામ્યમાં મળીને કોરોનાની સારવાર લઈને 191 દર્દી ઘરે પરત ફર્યા છે. તો 2 દર્દીનું કોરોનામાં મોત થયું છે.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસનો આંકડો 89 નોંધાયો હતો. જેમાં શહેરમાં સૌથી વધારે રાંદેર ઝોનમાં 12, અઠવા ઝોનમાં 11, કતારગામ ઝોનમાં 8, વરાછા એ ઝોનમાં 7, વરાછા બી ઝોનમાં 6, સેન્ટ્રલ ઝોનમાં 6, લીંબાયત ઝોનમાં 6 અને સૌથી ઓછા કેસ ઉધના ઝોનમાં 4 નોંધાયા હતા.

શહેર ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસનો આંકડો 29 પર પહોંચ્યો હતો. જેમાં સૌથી વધારે બારડોલી તાલુકામાં આઠ, મહુવા તાલુકામાં આઠ, માંડવી તાલુકામાં ત્રણ, પલસાણા તાલુકામાં ત્રણ, ઓલપાડ તાલુકામાં ત્રણ, ચોર્યાસીમાં બે મહુવામાં એક અને કામરેજમાં 0 કેસ નોંધાયા છે. આજે ગ્રામ્યમાં બારડોલીમાં રહેતા 65 વર્ષીય પુરુષનું મોત થયું છે. જ્યારે મૃત્યુ આંક 285 થયો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તે જ પ્રમાણે મ્યુકરમાઇકોસીસ ની વાત કરીએ તો શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં નવા બે કેસ સામે આવ્યા છે.  બંને સરકારી હોસ્પિટલમાં મળીને 14 સર્જરી કરવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસ ના એક દર્દીનું મોત થયું છે.

નોંધનીય છે કે, રાજ્યમાં 10 જૂનના રોજ કોરોનાના નવા 695 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 11 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,18,895 થઇ છે અને મૃત્યુઆંક 9976 થયો છે.

રાજ્યમાં 10 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 1505 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,96,208 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.23 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 12,711 થયા છે, જેમાં 316 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 12,395 દર્દીઓની સ્થિતિ સ્થિર છે

Published On - 10:33 am, Fri, 11 June 21

Next Article