Surat: ભરનિંદ્રામાં સુતેલા પરિવાર પર છતનો પોપડો પડતા માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો, જર્જરિત આવાસ સામે ઉઠ્યા સવાલ

|

Jun 21, 2021 | 12:48 PM

Surat : પાંડેસરા વિસ્તારમાં આવેલી સરસ્વતી આવાસમાં (Saraswati Awas) ભરઉંઘમાં સુતેલા પરિવાર પર સિલિંગના પોપડા પડતા એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. તો મૃતક બાળકીના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

Surat : પાંડેસરા વિસ્તારમાં આવેલી સરસ્વતી આવાસમાં (Saraswati Awas) ભરઉંઘમાં સુતેલા પરિવાર પર સિલિંગના પોપડા પડતા એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. તો મૃતક બાળકીના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સિયા પ્રદીપ પાંડે પરિવાર સાથે સરસ્વતી આવાસમાં રહેતી હતી. રવિવારે રાતે ભોજન કર્યા બાદ બાળકી તેના પરિવાર સાથે સુઈ ગઈ હતી. બિલ્ડિંગના છતનાં પોપડાં ધડાકાભેર તૂટી પડયા હતા.

માતા-પિતા અને માસુમ બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાળકીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા તાત્કાલિક આવાસ યોજનાના લોકો ભેગા થઇ ગયા હતા. તો પરિવારે આરોપ લગાડયો હતો કે, પોપડા પડવાની ઘટના વારંવાર બને છે પરંતુ અધિકારીઓના પાપે આ માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો હતો.

તો બાળકીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આ મામલે જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. સરસ્વતી આવાસ જર્જરિત થયા હોય રી ડેવલપમેન્ટમાં ફરી બનાવી આપવા માગ કરી છે. નોંધનીય છે કે, સિયાની મોટી બહેન નાના ના ઘરે હોય તે બચી જવા પામી હતી. સિયાના પિતા ટેમ્પોચાલક હોવાનું અને માતા ધર સંભાળતી હોવાનું જાણવા મળ્યું છે.

Next Video