Surat: કોરોનામાં મૃત્યુ પામેલા રત્નકલાકારોના પરિવારને મદદ કરવા ડાયમંડ એસોસિયેશને શરૂ કર્યો સર્વે

|

Jun 10, 2021 | 5:54 PM

કોરોનાના કારણે અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા છે. તેવામાં રત્નકલાકારોના પરિવાર નિરાધાર બન્યા છે. ત્યારે આ સહાય માટે જીજેએનઆરએફ દ્વારા મદદનો હાથ લંબાવવામાં આવ્યો છે.

Surat: કોરોનામાં મૃત્યુ પામેલા રત્નકલાકારોના પરિવારને મદદ કરવા ડાયમંડ એસોસિયેશને શરૂ કર્યો સર્વે
Surat Diamond Association

Follow us on

કોરોનાકાળમાં (Corona) અસંખ્ય લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બીજી લહેરમાં સૌથી વધુ મોત કોરોનાના કારણે થયા હતા. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી પણ તેમાંથી બાકાત નથી. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા અસંખ્ય કારીગરો અને રત્નકલાકારોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે કોરોનાથી મૃત્યુ પામેલા રત્નકલાકારોને સહાય આપવા સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

Surat

જીજેએનઆરએફ કરશે મદદ

જેમ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન, મુંબઈ દ્વારા આ સહાય આપવાની તૈયારી બતાવવામાં આવી છે. હાલ કોરોનાના કારણે અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા છે. તેવામાં રત્નકલાકારોના પરિવાર નિરાધાર બન્યા છે. ત્યારે આ સહાય માટે જીજેએનઆરએફ દ્વારા મદદનો હાથ લંબાવવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ડાયમંડ એસોસિયેશને શરૂ કર્યો સર્વે

સુરતમાં વસતા અને હીરા વ્યવસાય સાથે સંકળાયેલા કોઈ પણ રત્નકલાકાર જે કોરોનામાં મૃત્યુ પામ્યા છે. તેઓના પરિવારને આ મદદ આપવામાં આવશે. આ માટે સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે. જે સર્વેના ભાગરૂપે કોઈના પણ ધ્યાનમાં આ બાબત આવે તો તેઓ ડાયમંડ એસોસિયેશનની ઓફિસે માહિતી જમા કરાવી શકશે.

માહિતીમાં ડેથ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો ડાયમંડ એસોસિયેશનની ઓફિસે જમા કરાવવાની રહેશે. અત્યાર સુધી 40 જેટલા રત્નકલાકારોના પરિવારના ફોર્મ જમા થયા છે. હાલ જ્યારે પરિવારનો મોભી ગુમાવ્યા બાદ લોકોની આર્થિક સ્થિતિ વિકટ બની છે, તેવામાં આ સહાય રત્નકલાકારોના પરિવાર માટે મોટી મદદ સાબિત થશે.

Next Article