બર્ડ ફલૂ : મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસને પગલે સુરત-તાપીમાં એલર્ટ, 15 ટીમોએ શરૂ કર્યું સર્વેલન્સ

|

Mar 02, 2022 | 8:43 AM

સુરત અને તાપી જિલ્લામાં અત્યાર સુધી પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓના અસામાન્ય મૃત્યુનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી, પરંતુ ટીમ સાથે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે બાદ  સુરત અને તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં પશુપાલન વિભાગની ટીમો દ્વારા સઘન તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

બર્ડ ફલૂ : મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસને પગલે સુરત-તાપીમાં એલર્ટ, 15 ટીમોએ શરૂ કર્યું સર્વેલન્સ
Alert in Surat-Tapi following bird flu case in Maharashtra, 15 teams start surveillance(File Image )

Follow us on

સુરત(Surat ) શહેર અને જિલ્લામાં જ્યાં કોરોના રોગચાળાથી થોડી રાહત મળી છે. ત્યારે હવે બર્ડ ફ્લુની(Bird Flu ) દહેશતના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ જિલ્લા પશુપાલન વિભાગમાં દોડધામ શરૂ કરી દીધું છે. મહારાષ્ટ્ર અને રાજ્યની સરહદે બર્ડ ફ્લૂના કેસ મળી આવ્યાના સમાચારો બાદ સુરત અને તાપી જિલ્લા પશુપાલન વિભાગના અધિકારીઓએ વિવિધ તાલુકાઓના પોલ્ટ્રી ફાર્મમાં સર્વેની કામગીરી શરૂ કરી છે.

સુરત જિલ્લા મદદનીશ પશુપાલન નિયામક ડો. નિલેશ પટેલદ્વારા સેમ્પલ ભોપાલને મોકલવામાં આવ્યા હતા. પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાંથી બર્ડ ફ્લૂના સેમ્પલ લઈને તપાસ માટે ભોપાલ મોકલવામાં આવે છે. 2022ના છેલ્લા દિવસોમાં, 31 જાન્યુઆરી અને 14 ફેબ્રુઆરીએ બે તબક્કામાં 76 પક્ષીઓના નમૂના લેવામાં આવ્યા હતા.

ડોક્ટર નિલેશ પટેલે જણાવ્યું હતું કે હાલમાં સુરત અને તાપી જિલ્લામાં ક્યાંય પણ બર્ડ ફ્લૂનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો નથી. જો કે તકેદારીના ભાગરૂપે તમામ તાલુકાઓમાં વિવિધ ટીમો દ્વારા સંપૂર્ણ તપાસ કરીને ભોપાલ મોકલવામાં આવી છે. જેમાં કોઈ ગંભીર હાલત જોવા મળી નથી. 5 માર્ચે સુરત જિલ્લાના બારડોલી, મહુઆ, માંડવી વિસ્તારમાંથી સેમ્પલ લઈને ભોપાલ લેબમાં મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંગે પોલ્ટ્રી ફાર્મના માલિકોને સજાગ અને જાગૃત કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કર્યા બાદ સુરત સહિત તમામ જિલ્લામાં બર્ડ ફ્લૂથી બચવા માટે હજુ સુધી એક પણ શંકાસ્પદ કેસ નોંધાયો નથી, ત્યારે બર્ડ ફ્લૂની તપાસ માટે સુરત જિલ્લામાં પશુપાલન વિભાગની 15 ટીમો બનાવવામાં આવી છે.

સુરત અને તાપી જિલ્લામાં અત્યાર સુધી પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓના અસામાન્ય મૃત્યુનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી, પરંતુ ટીમ સાથે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે બાદ  સુરત અને તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં પશુપાલન વિભાગની ટીમો દ્વારા સઘન તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

નાયબ પશુપાલન નિયમનકાર ગ્રામીણ વિસ્તારોમાં પોલ્ટ્રી ફાર્મના સંચાલકોના સંપર્કમાં છે. જો કોઈ શંકાસ્પદ કિસ્સો સામે આવશે તો પોલ્ટ્રી ફાર્મ બંધ કરીને મૃત મરઘીઓના સુરક્ષિત નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે. તેઓએ માહિતી આપી હતી કે સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 104 પોલ્ટ્રી ફાર્મ છે. જો વાયરસમાં પરિવર્તન થાય તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. પરંતુ રાહતની વાત એ છે કે ગુજરાતમાં હજુ સુધી એક પણ કેસ સામે આવ્યો નથી.

આ પણ વાંચો :

Surat : કોર્પોરેશનની નવી બિલ્ડિંગની રૂપરેખા તૈયાર, બિલ્ડિંગના પોડિયમની ઊંચાઈ 16 મીટર હશે

Surat : એક મહિનામાં 1000 કરોડ કેવી રીતે ખર્ચાશે ? પાલિકા પાસે કોઈ જવાબ નથી

Next Article