Bardoli : વિશ્વ આદિવાસી દિવસ નિમિતે બારડોલીમાં પરંપરાગત રીતે કાઢવામાં આવી રેલી

|

Aug 09, 2022 | 2:36 PM

બારડોલી (Bardoli ) સ્વરાજ આશ્રમથી રેલીનું પ્રસ્થાન થયું હતું. બારડોલી ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આયોજિત રેલીમાં આદિવાસી સમાજ માટે બિન રાજકીય હેતુ સાથે ઉજવણીનું આયોજન કરાયું હતું. 

Bardoli : વિશ્વ આદિવાસી દિવસ નિમિતે બારડોલીમાં પરંપરાગત રીતે કાઢવામાં આવી રેલી
A traditional rally was taken out in Bardoli on the occasion of World Tribal Day

Follow us on

તારીખ નવમી ઓગસ્ટ ને વિશ્વ (World ) આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે બારડોલી (Bardoli ) ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મહારેલી (Rally )નું આયોજન કરવામાં આવ્યું હતું . પરંપરાગત આદિવાસી પરિધાન સાથે રેલી કાઢવામાં આવી હતી. આદિવાસી સમાજના પડતર પ્રશ્નો ને લઈને બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું . સંયુક્ત રાષ્ટ્ર યુનો દ્વારા 9મી ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ (Word Tribal Day)જાહેર કરવામાં આવ્યો હતો . જેને લઇને નવ ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.  જેના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું . રેલી માં પરંપરાગત આદિવાસી પરિધાન  વાજિંત્રો અને નૃત્ય આજે કાઢવામાં આવેલી રેલીમાં જોવા મળ્યા હતા.

બિન રાજકીય હેતુ સાથે કરાઈ ઉજવણી :

બારડોલી સ્વરાજ આશ્રમથી રેલીનું પ્રસ્થાન થયું હતું. બારડોલી ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આયોજિત રેલીમાં આદિવાસી સમાજ માટે બિન રાજકીય હેતુ સાથે ઉજવણીનું આયોજન કરાયું હતું.  બારડોલી સ્વરાજ આશ્રમ થી નીકળેલી આદિવાસી સમાજની રેલી બાદ આદિવાસી સમાજના પડતર પ્રશ્નો બાબતે બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું

વિશ્વ આદિવાસી દિવસ હોય બારડોલી ખાતે તાલુકા અને નગરમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા. આદિવાસી નૃત્યો, પારંપરિક પરિધાન પ્લે કાર્ડ દર્શાવી દર્શાવી નગરમાં રેલી નીકળી હતી . સ્વરાજ આશ્રમથી નીકળેલી રેલી રાજમાર્ગ થઈ તલાવડી નજીક બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ફૂલ હાર અર્પણ કરી બારડોલી મામલતદાર કચેરી ખાતે સમાપન કરાવ્યું હતું . અને વિશ્વ આદિવાસી દિવસ ની રેલી નું બિન રાજકીય રીતે સમાપન કરવામાં આવ્યું હતું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓની વસ્તી છે. ત્યારે આજના દિવસે અલગ અલગ જિલ્લાઓમાં પણ આદિવાસી દિવસને લઈને ઉજવણી કરવામાં આવી હતી. અને આદિવાસી સમાજના ઉત્થાન માટે અને વિકાસ માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article